Gujarat

સીદસર પાસે અજાણ્યા બસ ચાલકે અડફેટે લેતા આધેડનું મોત

By GS TEAM
9 Feb 20261 min read
સીદસર પાસે અજાણ્યા બસ ચાલકે અડફેટે લેતા આધેડનું મોત

- મૃતકના પુત્રએ બસ ચાલક વિરુધ્ધ વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી 

- હાઈવે રોડ ઉપર પાકગ વળી જગ્યામાં સૂતા હતા ત્યારે અકસ્માત સર્જાયો 

ભાવનગર : સીદસર ખાતે રહેતા આધેડ સીદસર સર્વોતમ ડેરી પાસે આવેલ હાઈવે રોડ ઉપર પાકગ વળી જગ્યામાં સૂતા હતા.તે દરમિયાન લકઝરી ચાલકે અડફેટે લેતા તેમનું મોત થયું હતું.

સીદસર ગામના વાળુકડ રોડ પચ્ચીસ વરિયા ખાતે રહેતા અનિલભાઈ બાવભાઈ પરમાર ના પિતા બાવભાઈ વલ્લભભાઈ પરમાર સીદસર સર્વોતમ ડેરી પાસે આવેલ હાઈવે રોડ ઉપર પાકગ વળી જગ્યામાં સૂતા હતા.તે દરમિયાન અજાણ્યા લકઝરી બસના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાવભાઈને અડફેટે લેતા આધેડનું સ્થળ પર મોત નીપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પુત્ર અનિલભાઈએ અજાણ્યા લકઝરી ચાલક વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.