કુલસર નજીક મીની બસ અડફેટે આધેડનું મોત
- મૃતકના ભત્રીજાએ મીની બસ ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
- આધેડ મંદિરે દર્શન કરી પગપાળા પોતાના ઘરે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
આ બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટી ખાતે રહેતા ભરતભાઈ ઝીણાભાઇ મકવાણા ( ઉ.વ ૫૫ ) ગત રાત્રિના સાડા આઠેક વાગ્યાના સમયે માતાજીના મંદિરે દર્શન કરીને પરત ચાલી ઘરે જતા હતા. તે દરમ્યાન શક્તિ હોલ પાસે મીનીબસ નં. જીજે.૧૪.એક્સ.૬૫૬૧ ના ચાલકે પોતાની મીની બસ પુરઝડપે અ ને બેફિકરાઈથી માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ભરતભાઈ સાથે અથડાવી દેતા તેમનેગંભીર ઇજા પહોંચી હતી. અને સારવારાર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના ભત્રીજા અનિલભાઈ ગીરધરભાઇ મકવાણાએ મિની બસના ચાલક વિરૂદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવતાં પોલીસે બસચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.