PHOTOS: PM મોદી અને માતા હિરાબાની યાદગાર અને દુર્લભ તસવીરો
પીએમ મોદીએ માતા હીરાબાના પાર્થિવ દેહને કાંધ આપી હતી
માતા વિશે , નરેન્દ્ર મોદીએ કહેલી કેટલીક રસપ્રદ વાતો
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાનું નિધન થયું છે. હીરાબાની અંતિમ યાત્રા નાનાભાઈ પંકજ મોદીના ઘરેથી શરૂ થઈ હતી. આ દરમિયાન ભાવુક પીએમ મોદીએ માતા હીરાબાના પાર્થિવ દેહને કાંધ આપી હતી. દરમિયાન PM મોદીના માતા હીરા બાએ આજે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. PM મોદી અને માતા હિરાબાની યાદગાર અને દુર્લભ તસવીરો તેમની વચ્ચેના ગાઢ સંબંધ બતાવે છે.
માતા વિશે , નરેન્દ્ર મોદીએ કહેલી કેટલીક રસપ્રદ વાતો
હું શ્રીનગર પરત ફર્યો હતો, જ્યાં મેં એકતા યાત્રા પૂર્ણ થતા લાલ ચોકમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો પછી અમદાવાદમાં એક જાહેર કાર્યક્રમમાં તેમણે મારા કપાળ પર તિલક કર્યું હતું.
એકતા યાત્રાના સમયે આંતકવાદી હુમલો થયો હતો, જેમાં થોડા લોકોના મૃત્યુ થયા હતા. તે સમયે બે લોકોએ મારી ખબર પૂછવા ફોન કર્યો હતો, અક્ષરધામ મંદિરના પ્રમુખ સ્વામી અને બીજા મારી માતા.
2014માં પહેલી વાર વડાપ્રધાન બન્યો પછી મેં મારી માતા પાસે આશીર્વાદ માંગ્યા
વર્ષ 2017માં ઉતરપ્રદેશની વિધાનસભાની ચુંટણી માટે કાશીમાં પ્રચાર કાર્ય પછી હું અમદાવાદ ગયો હતો ત્યારે હું મારી માતા માટે પ્રસાદી લઇ ગયો હતો.
જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એક જ નિયમ હતો તેમની થાળીમાં એક પણ કોળિયાનો બગાડ જોવા મળતો ન હતો.
લાંબા સમય પછી તેની સાથે કવોલીટી સમય વિતાવ્યો જયારે તેમણે પહેલી વાર RCRની મુલાકાત લીધી હતી.
હું ખુબ જ ખુશ અને ભાગ્યશાળી અનુભવું છું કે મારી માતા હીરાબા તેના 100 વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેમના 100માં વર્ષના જન્મદિવસે આ વાત કરી હતી.
માતાએ મને શીખડાવ્યું છે કે, ઔપચારિક શિક્ષણ મેળવ્યા વગર જ જીવનોપયોગી શિક્ષણ આપ્યું હતું. તેમની વૈચારિક પ્રક્રિયા અને દીર્ઘદ્રષ્ટિ મને હંમેશા ચકિત કરે છે.