Gujarat

જામનગરમાં જકાતનાકાથી સાંઢીયા પુલ સુધીના માર્ગને પહોળો કરવા હાથ ધરાશે મેગા ડીમોલેશનની કાર્યવાહી

By GS TEAM
8 Dec 20251 min read
TukuTouch Logo
7 મકાન અને 79 દુકાનો હટાવવા કાર્યવાહી હાથ ધરાઈ : 52 હજારથી વધુ ફૂટ જગ્યા ખુલ્લી કરાવાશે

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં જકાતનાકાથી સાંઢીયા પુલ સુધીના માર્ગને પહોળો કરવા હાથ ધરાશે મેગા ડીમોલેશનની કાર્યવાહી

image : Filephoto

Jamnagar Demoliton : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સૌથી વ્યસ્ત ગણાતા જકાતનાકાથી સાંઢીયા પુલ સુધીના માર્ગને પહોળો કરવા માટે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે આ કાર્યવાહીથી કુલ રૂ.15 કરોડની કિંમતની પર હજાર ચોરસ ફૂટ જેટલી જમીન ખુલ્લી કરાવવામાં આવશે. શહેરના ટ્રાફિક અને વાહનવ્યવહારને સુગમ બનાવવાના હેતુથી આ માર્ગ પરના અડચણરૂપ બાંધકામોને દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને હેવાસીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી માહિતી મુજબ જકાતનાકાથી સાંઢીયા પુલ સુધી વર્ષોથી સંકડાશ અને ગેરકાયદેસર બાંધકામોના કારણે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. નાગરિકોની સુવિધા અને શહેરના વિકાસને ધ્યાનમાં રાખીને તંત્રએ આ અડચણરૂપ દબાણો દૂર કરવા મક્કમ નિર્ણય લીધો છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ 7 રહેણાંક મકાનો અને 79 જેટલી દુકાનો હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મોટા પાયે થઈ રહેલી આ કામગીરી માટે મનપાનો સ્ટાફ, પોલીસ કાફલો સવારથી જ તૈનાત રહેછે, અને ડિમોલિશન માટેના સાધનો ઘટના સ્થળે ખડકાયેલા જોવા મળ્યા હતા.

 આ કાર્યવાહીમાં તંત્ર દ્વારા સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. બે દિવસના ટૂંકા ગાળામાં 15 કરોડોની કિંમતની જમીન ખુલ્લી કરાવવાનો લક્ષયાંક મહાનગરપાલિકાએ રાખ્યો છે. 52 હજાર ચોરસ ફૂટથી વધુ જેટલો વિસ્તાર ખુલ્લો થવાથી આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યામાં મોટો ઘટાડો થશે અને વાહનચાલકોને સરળતા રહશે.