Jamnagar BJP : ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર સંગઠનના હોદ્દેદારો નિમણૂક અન્વયે સંકલન સમિતિની આજે સવારે બેઠક યોજાઈ હતી.
જામનગર શહેર ભાજપના સંગઠનના હોદેદારોની નિમણૂક કરવાની બાકી છે. આથી આજે પ્રદેશથી આવેલ નિરીક્ષકો, રાજુભાઈ શુક્લ (અરવલ્લી જિલ્લા પ્રભારી), વંદનાબેન મકવાણા (કેશોદ પૂર્વ ધારાસભ્ય), શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસૂરિયા, પૂર્વ પ્રમુખ ડો.વિમલ કગથરા, જામનગર જિલ્લા પ્રભારી પલ્લવીબેન ઠાકર, રાજ્ય સરકારના પૂર્વ મંત્રીઓ પરમાણંદભાઇ ખટ્ટર, ધમેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ અને ગહન ચર્ચા કરવામાં આવી હતી.


