Gujarat

લોકસાહિત્યકાર મીરા આહિર સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગેરવર્તન મામલે કાર્યવાહી, પાંચ કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ

By GS TEAM
31 Jul 20252 mins read
TukuTouch Logo
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લોકસાહિત્યકાર મીરા આહિરે તેમના ભાઈને સારવાર માટે હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ ગયા હતા. જેમાં આશરે 45 મિનિટ સુધી તેમનો કેસ ન નોંધાતા ત્યાં હાજર નર્સ સહિતના સ્ટાફને વાત કરતાં તેમની સાથે ગેર વર્તન થયું હોવાનું વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. સમગ્ર મામલે રાજકોટ હોસ્પિટલ તંત્ર અને તેના સ્ટાફ સામે ગંભીર આક્ષેપ બાદ હોસ્પિટલના સ્ટાફ અને કર્મચારીઓ સામે એક્શન લેવામાં આવ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલના 4 કર્મચારી અને સિક્યુરિટી ગાર્ડને સસ્પેન્ડ કરાયાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લોકસાહિત્યકાર મીરા આહિર સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગેરવર્તન મામલે કાર્યવાહી, પાંચ કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ

Rajkot Civil Hospital 5 Employees Suspended : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લોકસાહિત્યકાર મીરા આહિરે તેમના ભાઈને સારવાર માટે હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ ગયા હતા. જેમાં આશરે 45 મિનિટ સુધી તેમનો કેસ ન નોંધાતા ત્યાં હાજર નર્સ સહિતના સ્ટાફને વાત કરતાં તેમની સાથે ગેર વર્તન થયું હોવાનું વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. સમગ્ર મામલે રાજકોટ હોસ્પિટલ તંત્ર અને તેના સ્ટાફ સામે ગંભીર આક્ષેપ બાદ હોસ્પિટલના સ્ટાફ અને કર્મચારીઓ સામે એક્શન લેવામાં આવ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલના 4 કર્મચારી અને સિક્યુરિટી ગાર્ડને સસ્પેન્ડ કરાયાં છે. 

શું હતો સમગ્ર મામલો?

ગેરવર્તન મામલે મીરા આહિરના જણાવ્યા અનુસાર, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેમના ભાઈને ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ઇમરજન્સી વિભાગમાં ફરજ પરના ડૉક્ટર અને સ્ટાફે તેમની સાથે ગેરવર્તન કર્યુ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. 

આ પણ વાંચો: રાજકોટ સિવિલ હૉસ્પિટલ ફરી વિવાદમાં: લોકસાહિત્યકાર મીરાબહેન આહિરને થયો કડવો અનુભવ, ગંભીર આક્ષેપો

લોકસાહિત્યકાર મીરા આહિરે એક વીડિયો જાહેર કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગેરવર્તન મામલે તંત્ર પાસેથી જવાબદાર ડૉક્ટર અને સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. સમગ્ર ઘટના બાદ હૉસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી. અંતે પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે અને નર્સિંગ સ્ટાફના શાબ્દિક ગેરવર્તન સામે શિક્ષાત્મક પગલાં લેવા તાકીદ કરાઈ છે. આ સાથે RMO અને નર્સિંગ સુપ્રિટેન્ડન્ટને આવો બનાવ ફરીથી ન બને તેને લઈને ધ્યાન રાખવા જણાવ્યું હતું.