Get The App

અમરેલીના રાજુલામાં પરિણીત મહિલા-પુરુષનો આપઘાત, પ્રેમ સંબંધમાં ભાગીને સાથે રહેતા હતા, આત્મહત્યાનું કારણ અકબંધ

Updated: Jun 8th, 2025

GS TEAM


Google News
Google News
અમરેલીના રાજુલામાં પરિણીત મહિલા-પુરુષનો આપઘાત, પ્રેમ સંબંધમાં ભાગીને સાથે રહેતા હતા, આત્મહત્યાનું કારણ અકબંધ 1 - image


Amreli News : ગુજરાતમાં આપઘાતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા બસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા અને પુરુષએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે સ્થાનિકોને જાણ થતાં 108ને બોલાવીને સારવાર અર્થે બંનને અમરેલીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેનું મોત નીપજ્યું હતું. 

આ પણ વાંચો: સુરતમાં વધુ એક મોડલે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો, આત્મહત્યાનું રહસ્ય અકબંધ

મળતી માહિતી મુજબ, અમરેલીના રાજુલા બસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે શનિવારની રાત્રે આપઘાતની ઘટના સામે આવી હતી. જેમાં ખાંભા વિસ્તારના રહેવાસી જયસુખભાઇ સાંખટ અને અફ્સાનાબહેન કુરેશી નામના બંને વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવીને મોતને વ્હાલનું કર્યું હતું. મહિલા-પુરુષ બંને પરિણીત છે અને તેઓ પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: 'મારી જિંદગી બરબાદ કરી નાખી'... મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી પરિવારની સામૂહિક આત્મહત્યા

રાજુલા બસ સ્ટેશન વિસ્તારમાં મહિલા-પુરુષના સજોડે આપઘાત કર્યો હોવાની સ્થાનિકોને જાણ થઈ હતી. જેમાં બંનેની હાલત અત્યંત ગંભીર જણાતા તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યારે બંને પરિણીત હોવા છતાં ભાગીને સાથે રહેતા હોવાનું સામે આવ્યું છે. બંને મહિલા-પુરુષના આપઘાતના પાછળનું કારણ અકબંધ છે.

Tags :