Gujarat

વડોદરાઃમાવઠાંની આગાહીને પગલે ખેડૂતોની ચિંતા વધી,કેરી અને ઘઉંના પાકને જોખમ

By GS TEAM
18 Feb 20261 min read
વડોદરાઃમાવઠાંની આગાહીને પગલે ખેડૂતોની ચિંતા વધી,કેરી અને ઘઉંના પાકને જોખમ

વડોદરાઃ વડોદરા અને આસપાસના વિસ્તારોમાં બદલાઇ રહેલા હવામાનને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

છેલ્લા બે દિવસથી વાતાવરણ વાદળિયું થઇ ગયું છે અને કેટલાક વિસ્તારોમાં માવઠાંની આગાહી પણ કરવામાં આવી છે.જેને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે તેવી નોબત આવવાની દહેશત છે.

સૂત્રોના કહેવા પ્રમાણે,હાલમાં કેરીનો મોર આવી રહ્યો છે અને ઘઉંના પાક માટે દાણા ભરાવાનો સમય ગણાય છે.જેથી માવઠાંને કારણે મોર ખરી પડે અને ઘઉંને નુકસાન થાય તેવી ભીતી સેવાઇ રહી છે.