Gujarat

મારામારીના બનાવમાં સંડોવાયેલા શખ્સને વડોદરામાંથી તડીપાર કરાયો

By GS TEAM
24 Dec 20251 min read
TukuTouch Logo
સયાજીગંજ વિસ્તારમાં મારામારીના બનાવમાં ઝંડોવાયેલા એક શખ્સને વડોદરામાંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મારામારીના બનાવમાં સંડોવાયેલા શખ્સને વડોદરામાંથી તડીપાર કરાયો

સયાજીગંજ વિસ્તારમાં મારામારીના બનાવમાં ઝંડોવાયેલા એક શખ્સને વડોદરામાંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. 

સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં મારામારીના જુદા જુદા બે બનાવમાં પ્રિય લક્ષ્મી ચાલી નજીક રહેતા હાફિઝ સલીમભાઈ શેખ ની સંડોવણી ખુલતા તેની સામે તડીપારની કાર્યવાહી કરવામાં આવી હતી. 

આ હુકમની સુનાવણી થયા બાદ હાફિઝને 15 મહિના માટે વડોદરા શહેર અને જિલ્લા માંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે પોલીસ દ્વારા પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવતું હોય છે. તડીપારના કેસો પાસા કરતા ઓછા થતા હોય છે. તડીપાર પણ એટલું જ અસરકારક મનાય છે.