ભારોલી ગામના શખ્સે બહેનની નજર સામે ભાઈની હત્યા કરી
- હત્યા બાદ શખ્સે મહિલા, બાળકોને મારી નાંખવાની ધમકી આપી
- વાડીમાં શા માટે આવ્યા? તેમ કહેતાં મૃતકને ઝઘડો થતાં ગામના જ શખ્સે ગળું દબાવી મોતને ઘોટ ઉતારી દિધો
ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અન્વયેવસ્થા ખાડે ગયા હોવાના બનાવો રોજિંદા બની રહ્યા છે. શહેર અને જિલ્લામાં ૧૧ દિવસમાં આજે હત્યાનો પાંચમો બનાવ નોંધાયો હતો. આ બનાવની વિગત એવી છે કે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે ઘેલુભા અજુભાની વાડીમાં ખેતમજુરી કામ કરી પોતાના ત્રણ બાળકો સાથે રહેતા ચેતનાબેન ભુથાભાઈ પરમાર ગત તા.૩ના રોજ વાડીએ હતા ત્યારે તેમના કૌટુંબિક ભાઈ અશોક ઉર્ફે પીન્ટુ ચીથરભાઈ પરમાર (ઉ.વ. આશરે ૪૫) દારૂ પીને આવ્યો હતો અને રાંધવાનું બનાવવા કહ્યું હતું,આ દરમિયાન રાત્રિના ૮ઃ૧૫ કલાકના અરસમાં આ જ ગામના લગ્ધિરસિંહ ઉર્ફે લઘરો રમજુભા ગોહિલ તેમના ઝુંપડે આવ્યો હતો જયાં અશોકેે લગ્ધિરસિંહને અહીંયા વાડીએ શા માટે આવ્યા છો? તેમ કહેતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. બન્ને વચ્ચે ઝઘડોનો ઝઘડો વધતાં લગ્ધીરસિંહે અશોકને આડેધડ પાટા મારી ગળુું દબાવી દીધું હતું. જે દરમિયાન તેમના બહેન ચેતનાબેને બુમો મારતા લગ્ધિરસિંહે અશોકભાઈને છોડી દીધા બાદ ચેતનાબેને તેને પાણી પિવડાવ્યા બાદ ઉભા નહી થતાં લગ્ધિરસિંહે જણાવ્યું કે, દારૂ પિધો છે હમણાં ઉભો થઈને જતો રહેશે અને આ વાત કોઈને કરી છે તો તને તથા તારા બાળકોને મારી નાખીશ તેવી ધમકી આપી જતાં રહ્યાં હતા.જો કે,બીજા દિવસની સવાર સુધી અશોક ઉભો નહી થતાં તેમના બહેને ઈમર્જન્સી ૧૦૮ મારફત ગંભીર હાલતે ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો.જ્યાં તેમનું મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણ્મ્યો હતો. બનાવ અંગે ચેતનાબેન ભુથાભાઈ પરમારે તળાજા પોલીસ મથકમાં લગ્ધીરસિંહ ઉર્ફે લઘરો રમજુભા ગોહિલ (રહે.ભારોલી) વિરૂદ્ધ તેમના ભાઈની ગળું દબાવી હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી.