Get The App

લંડનમાં મહાવીર જન્મ કલ્યાણકનું ભવ્ય આયોજન, શાંતિ અને એકતાનો સંદેશ પાઠવ્યો

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
લંડનમાં મહાવીર જન્મ કલ્યાણકનું ભવ્ય આયોજન, શાંતિ અને એકતાનો સંદેશ પાઠવ્યો 1 - image

Mahavir Swami Janma Kalyanak : ગ્રેટ બ્રિટનની રાજધાની લંડનમાં રહેતા ભારતીય લોકોએ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે મહાવીર જન્મ કલ્યાણકનું આયોજન કર્યું હતું. યુકેના વિવિધ વિસ્તારોમાં 700 થી વધુ જૈન શ્રાવકો આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. વિદ્વાન શીતલજી દ્વારા ઉદ્બોધન, બાળ બ્રહ્મચારી વિજય ભૈયા અને પંડિત અનુભવ દ્વારા ધર્મ ચર્ચા તથા બાળ બ્રહ્મચારી વિજય ભૈયાના પ્રેરણાદાયક પ્રવચને સૌ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક ઊર્જાથી ઓત-પ્રોત કરી દીધા હતા.

 આ અવસરે હૅરો, લંડનનાં મેયર અંજના પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સમાજની યુવા પ્રતિભાઓનો સન્માન સમારોહ પણ આયોજિત કરવામાં આવ્યો, જેમાં કળા, ખેલ, વિજ્ઞાન અને ગણિતના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અંજના પટેલ દ્વારા સન્માનિત કરાયા હતા. સાથે જ જૈન ધર્મ અને હિન્દી ભાષાની પાઠશાળાઓ સંચાલિત કરતા શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

 આયોજક સમિતિ સભ્ય આશીષ જૈને જણાવ્યું કે આયોજનમાં ભગવાન મહાવીરના જીવન પર આધારિત નાટિકાઓ, સંગીતમય પ્રસ્તુતિઓ, ઈન્દ્રસભા એવં જૈન મૂલ્યો પર આધારિત ભક્તિ કાર્યક્રમોએ સૌ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 

આ અવસરે યુનાઇટેડ કિંગડમની તમામ દિગંબર જૈન સંસ્થાઓના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા. સૌએ એકજૂટ થઈ ભગવાન મહાવીરના સત્ય, અહિંસા, શાંતિ એવં એકતાના સંદેશને સમગ્ર યુકેમાં પ્રસારિત કરવાનો સંકલ્પ લીધો હતો.