Get The App

નવા ટેક્સ રિજિમનો વિકલ્પ પસંદ કરનારા કરદાતાઓનું લીવ ટ્રાવેલ એલાવન્સ વેરા પાત્ર ગણાશે

કોસ્ટ ટુ કંપનીની સિસ્ટમ હેઠળ હવે એલટીએને પણ પગારનો જ હિસ્સો ગણાવવામાં આવતો હોવાથી તેના પર વેરામાફી નહિ મળે

બાર લાખ સુધીનો પગાર વેરામુક્ત પણ વેરાના લાભ પાછા ખેંચી લેવાયા

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
નવા ટેક્સ રિજિમનો વિકલ્પ પસંદ કરનારા કરદાતાઓનું લીવ ટ્રાવેલ એલાવન્સ વેરા પાત્ર ગણાશે 1 - image




(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર

પહેલી એપ્રિલ ૨૦૨૫-૨૬થી અમલમાં આવી રહેલી નવી વેરા સિસ્ટમમાં ૧૨ લાખ સુધીની વાર્ષિક આવકને વેરામુક્ત જાહેર કરી દેવામાં આવી છે, પરંતુ તે કરદાતાઓને તેમની કંપની તરફથી આપવામાં આવતા લીવ ટ્રાવેલ એલાવન્સને પણ વેરાને પાત્ર ગણી લેવામાં આવશે. જૂની સિસ્ટમમાં આવકવેરા ધારાની કલમ ૮૦જી હેઠળ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સ્ટોકમાર્કેટના ઇન્વેસ્ટમેન્ટ, વીમાના પ્રીમિયમ બાદ મળતા હતા તે નવી ટેક્સ સિસ્ટમમાં રિટર્ન ફાઈલ કરનારાઓને આપવામાં આવશે જ નહિ. જૂની સિસ્ટમાં રિટર્ન ફાઈલ કરનારાઓને આ લાભ મળશે, પરંતુ તેમની જૂની સિસ્ટમ હેઠળ વેરાના સ્લેબ પ્રમાણે વેરો જમા કરાવવાની ફરજ પડશે. 

પહેલી એપ્રિલ ૨૦૨૫થી અમલમાં આવી ગયેલા નવા ટેક્સ રિજિમમાં આવકવેરાની જુદી જુદી કલમ હેઠળ આપવામાં આવતા વેરામાફીના લાભ સંપૂર્ણપણે પાછા ખેંચી લીધા છે. તેમાં રૃા. ૧૨ લાખ સુધીની આવકને વેરામુક્ત ગણાવવામાં આવી હોવાથી ૭૦થી ૮૦ ટકાથી વધુ કરદાતાઓએ નવા ટેક્સ રિજિમ પ્રમાણે જ ઇન્કમેટેક્સના રિટર્ન ફાઈલ કરવાનું પસંદ કર્યું છે. છેલ્લા વીસેક વર્ષથી એલટીએને કોસ્ટ ટુ કંપનીમાં પગારનો જ હિસ્સો ગણાવવામાં આવે છે. અગાઉ તેને ખર્ચ ગણી લઈને તેને આવકમાં ગણતરીમાં લેવાતી નહોતી. વેકેશન સમયમાં બહાર ગામ ફરવા માટે કંપનીના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્ય માટે કરેલા ખર્ચ તરીકે તેને જોવામાં આવતા હતા. હવે તેને ખર્ચ ગણવામાં આવશે કે કેમ તેવો સવાલ નોકરિયાત દ્વારા ઊઠાવવામાં આવી રહ્યો છે.

નવા ટેક્સ રિજિમમાં વેરા માફીના મોટાભાગના લાભ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. તેમાં પબ્લિક પ્રોવિડન્ટમાં, શેરબજારમાં અને ફિક્સ્ડ ડિપોઝિટમાં વરસે દહાડે કરેલા રુ. ૧.૫૦ લાખના રોકાણને ટેક્સ સ્લેબ પ્રમાણે વેરામાંથી બાદ કરી આપવામાં આવતા હતા. હવે આ લાભ નવા રિજિમમાં આપવામાં આવશે નહિ. નવી વેરા સિસ્ટમમાં લીવ ટ્રાવેલ એલાવન્સને પણ ખર્ચ તરીકે બાદ આપવામાં આવશે નહિ. કર્મચારીઓને બહુધા બે વર્ષે એકવાર લીવ ટ્રાવેલ એલાવન્સ આપવમાં આવે છે. પરંતુ નવા ટેક્સ રિજિમમાં મોટાભાગની વેરા માફી કાઢી નાખવામાં આવી હોવાતી લીવ ટ્રાવેલ એલાવન્સને પણ તેમાંતી કાઢી નાખવામાં આવ્યું છે. તેને પણ પગારનો હિસ્સો જ ગણી લેવામાં આવ્યો છે. 


Tags :