વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં કર્યું મતદાન, દેશવાસીઓને કરી વોટિંગની અપીલ
Updated: May 7th, 2024
Lok Sabha Elections 2024 | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન વિદ્યાલયમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ મીડિયા સાથે પણ વાતચીત કરી હતી અને લોકોને સંબોધ્યા હતા. તેમણે દેશવાસીઓને પણ અપીલ કરી કે તેઓ વધુમાં વધુ ઘરેથી નીકળીને બહોળું મતદાન કરે. મતદાન બાદ પીએમ મોદી અને અમિત શાહે ચાલતાં ચાલતાં રોડ શો પણ કર્યો હતો.
Gujarat