Get The App

નારણપુરા વોર્ડમાં આવેલા જર્જરીત નવદીપ હોલને તોડીને પાંચ કરોડના ખર્ચે પાર્ટી પ્લોટ બનાવાશે

પારેજીયા પ્રોજેકટને કામગીરી અપાઈ, બ્રાઈડલ તથા ગુ્રમ રૃમ સહીતની સુવિધા મળી શકશે

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
નારણપુરા વોર્ડમાં આવેલા  જર્જરીત નવદીપ હોલને તોડીને પાંચ કરોડના ખર્ચે પાર્ટી પ્લોટ બનાવાશે 1 - image


અમદાવાદ,શનિવાર,31 મે, 2025

નારણપુરા વોર્ડમાં આવેલા હયાત જર્જરીત નવદીપ હોલને તોડીને રુપિયા  ૫.૪૨ કરોડના ખર્ચે પાર્ટી પ્લોટ બનાવવા પારેજીયા પ્રોજેકટને કામગીરી અપાઈ છે.૬ હજાર ચોરસ મીટર જગ્યામાં પાર્ટી પ્લોટ ઉપરાંત બ્રાઈડલ તથા ગુ્મ રુમ સહીતની સુવિધા મળી શકશે.

નારણપુરા વોર્ડમાં નવરંગ સર્કલથી અમીકુંજ ચાર રસ્તા રોડ ઉપર આવેલા જર્જરીત નવદીપ હોલને ડીમોલીશ કરી  આ જગ્યાએ ૧૨ હજાર ચોરસ મીટરના પ્લોટમાં નવો પાર્ટી પ્લોટ બનાવવા  રુપિયા ૮.૧૬  કરોડનો અંદાજ મંજુર કરવામાં આવ્યો હતો.ટેન્ડર કરાતા  કોન્ટ્રાકટર પારેજીયા પ્રોજેકટના અંદાજીત ભાવથી ૧૧.૧૧ ટકા ઓછા ભાવના ટેન્ડરને મંજુરી અપાઈ હતી.૧૬૨ ફોર વ્હીલર અને ૨૪૮ ટુ વ્હીલર પાર્ક થઈ શકે એવુ પાર્કીંગ તેમજ રસોડા ટોઈલેટ બ્લોક સહીતની વ્યવસ્થા કરાશે.

Tags :