Gujarat

જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર ચોરી કરવાના ઇરાદે આવેલા શંકાસ્પદ શખ્સને સ્થાનિકોએ પકડ્યો

By GS TEAM
25 Sep 20251 min read
TukuTouch Logo
ચોરી કરવાના ઇરાદે આવેલા શંકાસ્પદ શખ્સને સ્થાનિકોએ ઝડપી લઇ પોલીસ હવાલે કર્યો હતો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર ચોરી કરવાના ઇરાદે આવેલા શંકાસ્પદ શખ્સને સ્થાનિકોએ પકડ્યો

Jamnagar : જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ એક ઘડિયાળની દુકાન પાછળ આઝાદ બાગ પાસે એક ઇમારતમાં ચોરી કરવાના ઇરાદે ગેરકાયદે પ્રવેશતા શખ્સને સ્થાનિકોએ ઝડપી લેતા ટોળું એકત્ર થયું હતું.

સ્થાનિકોએ શંકાસ્પદ શખ્સને પકડી રાખી પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસ દ્વારા શંકાસ્પદ શખ્સને પોલીસ સિટી એ ડિવિઝન પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છેકે આ પહેલા પણ 15 દિવસ પહેલા આ જ વિસ્તારમાં ચોર પકડાયો હતો. જેને સ્થાનિકોએ પોલીસ હવાલે કર્યો હતો.