Get The App

જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર ચોરી કરવાના ઇરાદે આવેલા શંકાસ્પદ શખ્સને સ્થાનિકોએ પકડ્યો

Updated: Sep 25th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર ચોરી કરવાના ઇરાદે આવેલા શંકાસ્પદ શખ્સને સ્થાનિકોએ પકડ્યો 1 - image

Jamnagar : જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ એક ઘડિયાળની દુકાન પાછળ આઝાદ બાગ પાસે એક ઇમારતમાં ચોરી કરવાના ઇરાદે ગેરકાયદે પ્રવેશતા શખ્સને સ્થાનિકોએ ઝડપી લેતા ટોળું એકત્ર થયું હતું.

સ્થાનિકોએ શંકાસ્પદ શખ્સને પકડી રાખી પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસ દ્વારા શંકાસ્પદ શખ્સને પોલીસ સિટી એ ડિવિઝન પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છેકે આ પહેલા પણ 15 દિવસ પહેલા આ જ વિસ્તારમાં ચોર પકડાયો હતો. જેને સ્થાનિકોએ પોલીસ હવાલે કર્યો હતો.