Gujarat

જામનગરમાં શંકર ટેકરી પાણીના ટાંકા પાસે વગર વરસાદે ગટરના પાણી ફરી વળતાં સ્થાનિકોમાં દેકારો

By GS TEAM
16 Jul 20251 min read
TukuTouch Logo
જામનગરમાં શંકર ટેકરી પાણીના ટાંકા નજીકના વિસ્તારમાં આવેલા મોમાઈ માંના મંદિરવાળી શેરીમાં આજે સવારે ભૂગર્ભ ગટરની સફાઈ થઈ ન હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યા હતા

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં શંકર ટેકરી પાણીના ટાંકા પાસે વગર વરસાદે ગટરના પાણી ફરી વળતાં સ્થાનિકોમાં દેકારો

Jamnagar : જામનગરમાં શંકર ટેકરી પાણીના ટાંકા નજીકના વિસ્તારમાં આવેલા મોમાઈ માંના મંદિરવાળી શેરીમાં આજે સવારે ભૂગર્ભ ગટરની સફાઈ થઈ ન હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યા હતા, અને વગર વરસાદે ઉપરોક્ત વિસ્તાર પાણી-પાણી થઈ ગયો હતો.

ઉપરાંત તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી ઉપરોક્ત વિસ્તારમાં વસવાટ કરતા નાગરીકો એ ભારે નારાજગી વ્યક્ત કરી છે, અને આ વિસ્તારની ભૂગર્ભ ગટરની તાકીદે સફાઈ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.