Vadodara : વડોદરાના પ્રતાપ નગર ત્રણ રસ્તાથી ઝેનિથ સ્કૂલ તરફ જવાના મેઇન રોડ પર ખુલ્લા પ્લોટમાં કેટલાક લોકો દ્વારા જૂના બારી બારણા સહિત લાકડાનો ખડકલો કરી દેતા ક્યારેક નાની ચિનગારીની આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા નકારી શકાતી નથી. વાયરલ થયેલા વિડિયોએ લાકડાનો ખડકાયેલો જથ્થો તંત્રના છુપા આશીર્વાદ વિના આવી હકીકત શક્ય બને જ નહીં. તંત્ર આ બાબતે જરૂર કાર્યવાહી કરે એવી સ્થાનિકોની માંગ છે.
ઉલ્લેખનીય છે કે, પ્રતાપ નગર ત્રણ રસ્તાથી ઝેનિથ સ્કૂલ તરફ જવાના મેઇન રોડ રસ્તા પરના ખુલ્લા રસ્તે જાહેર રોડ પર જુના બારી, બારણા સહિત અન્ય લાકડાનો જથ્થો ખડકાઈ ગયાનો વિડીયો વાયરલ થયો છે. જોકે આવી બાબત પાલિકા તંત્રની જાણ બહાર હોઈ શકે નહીં તેવો સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે. આવી રીતે ખડકાયેલો લાકડાનો જથ્થો ક્યારેક અગ્નિની નાની ચિનગારીથી સર્જાતી આગ વિકરાળ સ્વરુપ ધારણ કરી શકે છે. જેથી સ્થાનિકોની માંગ છે કે આ બાબતે સલામતીના કારણોસર તાત્કાલિક ધોરણે પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય એ જરૂરી છે.
70 વર્ષ અગાઉ 1965માં ભીષણ આગથી લક્કડપીઠું ખાક થયું
સને 1965માં એટલે કે, 70 વર્ષ અગાઉ શહેરના મદનઝાંપા રોડ પર પથ્થર ગેટ પાસે આવેલા લાકડાના પીઠામાં કોઈક કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં સમગ્ર લક્કડપીઠું મળીને ખાક થઈ ગયું હતું. વડોદરાના ફાયર બ્રિગેડ તંત્રને શહેર આસપાસના અન્ય ફાયર બ્રિગેડના ફાયર ફાઈટરોની પણ મદદ મળી હતી. આ ભીષણ આગ કલાકોની ભારે જહેમત બાદ કાબુમાં આવી હતી. ત્યારબાદ આ જગ્યાએથી લક્કડપીઠાના તમામ વેપારીઓને તાત્કાલિક ધોરણે ખસેડી દેવાયા હતા.


