Gujarat

ગુજરાતના રાજકારણમાં અજીબ ડ્રામા: દાહોદમાં એક જ નેતાએ ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેયમાંથી ફોર્મ ભર્યું

By GS TEAM
12 Apr 20263 mins read
TukuTouch Logo
ભારતના ચૂંટણી ઈતિહાસમાં તમે નેતાઓને પક્ષ બદલતા, બળવો કરતા કે અપક્ષ ચૂંટણી લડતા ઘણી વાર જોયા હશે. પરંતુ ગુજરાતના દાહોદ જિલ્લાની પંચાયત ચૂંટણીમાં એક એવો રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે, જેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે એક જ નેતાએ એક જ બેઠક માટે ત્રણ કટ્ટર વિરોધી પક્ષો તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી હોય?

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના રાજકારણમાં અજીબ ડ્રામા: દાહોદમાં એક જ નેતાએ ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેયમાંથી ફોર્મ ભર્યું


Gujarat Local Body Elections: ભારતના ચૂંટણી ઈતિહાસમાં તમે નેતાઓને પક્ષ બદલતા, બળવો કરતા કે અપક્ષ ચૂંટણી લડતા ઘણી વાર જોયા હશે. પરંતુ ગુજરાતના દાહોદ જિલ્લાની પંચાયત ચૂંટણીમાં એક એવો રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે, જેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે એક જ નેતાએ એક જ બેઠક માટે ત્રણ કટ્ટર વિરોધી પક્ષો તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી હોય?

ભારતસિંહ વાખળા ત્રણેય પક્ષોમાંથી દાવેદારી નોંધાવી

દાહોદ જિલ્લા પંચાયતની પીપેરો બેઠક પર બિલકુલ આવું જ થયું છે. અહીંના અગ્રણી સ્થાનિક નેતા ભારતસિંહ વાખળાએ  ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન પત્ર દાખલ કરીને સમગ્ર રાજકીય બેડાને હેરાન કરી દીધી છે. આ બેઠક પર કુલ 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાંથી ત્રણ ફોર્મ એક જ ઉમેદવાર ભારતસિંહ વાખળાના છે. તેમણે ત્રણ અલગ-અલગ પક્ષોમાંથી ફોર્મ ભરીને નવી રાજકીય ચર્ચા છેડી દીધી છે.

પીપેરો બેઠક બની ચર્ચાનું કેન્દ્ર

ભારતસિંહ વાખળા અગાઉ આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી ચૂક્યા છે અને આ બેઠક પર ભાજપને કાંટાની ટક્કર આપી ચૂક્યા છે. હાલમાં જ તેમના ભાજપમાં સામેલ થવાના સમાચાર પણ સામે આવ્યા હતા. પીપેરો બેઠક પરંપરાગત રીતે વરિષ્ઠ નેતા બચુભાઈ ખાબડનો ગઢ માનવામાં આવે છે. એવામાં આ વખતે આ બેઠક 'રાજકીય ડ્રામા'નું કેન્દ્ર બની ગઈ છે. વાખળાનો રાજકીય ઈતિહાસ પણ પક્ષપલટા સાથે જોડાયેલો રહ્યો છે, જેનાથી આ મામલો વધુ રસપ્રદ બન્યો છે.

કેટલા ફોર્મ કયા પક્ષમાંથી?

પીપેરો બેઠક માટે કુલ 11 ફોર્મ ભરાયા છે. જેમાં ભાજપના 5, કોંગ્રેસના 3 અને આમ આદમી પાર્ટીનું 1 ફોર્મ સામેલ છે. ખાસ વાત એ છે કે ત્રણેય પક્ષોમાંથી એક-એક ફોર્મ ભારતસિંહ વાખળાનું છે. આ ઉપરાંત એક ફોર્મ અપક્ષ ઉમેદવારે અને એક ફોર્મ BRPના ઉમેદવારે ભર્યું છે. આ રીતે એક જ વ્યક્તિનું ત્રણ પક્ષોમાંથી નામાંકન આ ચૂંટણીને અલગ જ બનાવી રહ્યું છે.

આ પણ વાંચો: ‘તુ મારી નહીં તો કોઈની નહીં...', HIV પોઝિટિવ શખસે મંગેતરને આપ્યું લોહીનું ઈન્જેક્શન, લગ્ન તૂટતા નારાજ હતો યુવક

ક્યારે સાફ થશે સ્થિતિ?

જો કે વાખળાએ ત્રણેય પક્ષોમાંથી ફોર્મ ભરી દીધા છે, પરંતુ તેમની અસલી ઉમેદવારી કયા પક્ષમાંથી હશે, તે હજુ નક્કી નથી. આ માટે પક્ષનું સત્તાવાર સમર્થન જરૂરી હોય છે. ચૂંટણીના નિયમો મુજબ, કોઈપણ ઉમેદવારને પક્ષનો સત્તાવાર ઉમેદવાર ત્યારે જ માનવામાં આવે છે, જ્યારે તે સમયમર્યાદાની અંદર 'ફોર્મ-બી' જમા કરે છે. નામાંકન પત્રોની ચકાસણી 13 એપ્રિલે થશે અને 15 એપ્રિલ સુધી ઉમેદવારો પોતાનું નામ પાછું ખેંચી શકે છે. તે જ દિવસે સ્પષ્ટ થશે કે ભારતસિંહ વાખળા કયા પક્ષમાંથી ચૂંટણી લડશે અને બાકીના નામાંકનનું શું થશે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, '15 તારીખે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે, જ્યારે ખબર પડશે કે કયા પક્ષનું ફોર્મ-બી જમા કરવામાં આવ્યું છે અને કયા નામાંકનો પાછા ખેંચાયા છે અથવા રદ થયા છે.'