સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ જાણ થતાં વન વિભાગના સ્ટાફે ટ્રેક પર આરામ ફરમાવતા 5 સિંહોને જંગલ તરફ ખદેડયા
જૂનાગઢ, : જૂનાગઢના ગ્રોફેડ ફાટક નજીક મીટર ગેજ રેલ્વે ટ્રેક પર સિંહ પરિવારે અડીંગો જમાવ્યો હતો અને ટ્રેક પર આરામ કરતા જોવા મળ્યા હતા. આ અંગે જાણ થતા વન વિભાગના સ્ટાફે ત્યાં જઈ સિંહોને ટ્રેકથી જંગલ તરફ ખદેડયા હતા.
ગીર તેમજ અમરેલી જીલ્લામાં સિંહોના વસવાટ વિસ્તારમાંથી રેલ્વે ટ્રેક પસાર થાય છે. અગાઉ સિંહો ટ્રેનની હડફેટે આવી જવાથી મોતને ભેટયા હતા. હાઈકોર્ટના આદેશ બાદ રેલ્વે તેમજ વન વિભાગ આ બાબતે વધુ સક્રિય બન્યું હતું. તાજેતરમાં આવી ઘટનાઓ થોડી ઓછી થઈ છે.
જૂનાગઢના ગ્રોફેડ ફાટક નજીક મીટર ગેજ રેલ્વે ટ્રેક પર સિંહ પરિવારે અડીંગો જમાવ્યો હતો અને ટ્રેક પર જ આરામ કરતા સિંહ જોવા મળ્યા હતા. કોઈએ આ સિંહનો વિડીયો ઉતારી લીધો હતો. આ અંગે વન વિભાગને જાણ થતા સ્થળ પર જઈ સિંહોને રેલ્વે ટ્રેકથી દુર જંગલ તરફ ખદેડયા હતા.


