Get The App

એલઆઇસીમાં ભરતીના મુદ્દે આજે કર્મીઓ એક કલાકની હડતાલ પર જશે

Updated: Feb 20th, 2025

GS TEAM


Google News
Google News
એલઆઇસીમાં ભરતીના મુદ્દે આજે કર્મીઓ એક કલાકની હડતાલ પર જશે 1 - image


- 5 વર્ષમાં વર્ગ 3-4 ના 12000 કર્મી. નિવૃત્ત થયા

- ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોયીઝ એસો.ને મંજૂરી આપવા નિલમબાગ કચેરીએ દેખાવો યોજાશે

ભાવનગર : ભારતીય જીવન વિમા નિગમમાં વર્ગ ૩-૪ના કર્મચારીઓની  નિવૃત્તિ  સામે આ કેડરમાં તાકિદે નવી ભરતી કરવા તથા ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોયીઝ એસો.ને માન્યતા આપવાની માંગણી સાથે નિલમબાગ સ્થિત કચેરીના કર્મચારીઓ આવતીકાલ ગુરૂવારે બપોરે એક કલાક હડતાળ પર જઈ દેખાવો કરી તંત્રની નીતિ સામે વિરોધ પ્રદર્શિત કરાશે.

ભારતીય જીવન વીમા નિગમમાં તાત્કાલિક વર્ગ-૩ અને ૪માં ભરતી કરવાની ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં વર્ગ ૩ અને ૪ના કર્મચારીઓની સંખ્યામાં નિવૃત્તિ અને અન્ય કારણોસર ૧૨ હજારથી વધુ કર્મચારીઓનો ઘટાડો થયો છે. આવનાર બે વર્ષમાં હજુ મોટી સંખ્યામાં વર્ગ-૩ અને ૪ના કર્મચારીઓ નિવૃત્ત થઇ રહ્યા છે.ત્યારે, વીમા ક્ષેત્રમાં સંસ્થા મોખરાનું સ્થાન જાળવી રાખવા માટે ભારતીય જીવન વિમા નિગમે વર્ગ ૩ અને ૪માં ભરતી કરવાની તાત્કાલિક જરૂરિયાત છે. આ ઉપરાંત એલઆઇસીના ૮૦ ટકાથી વધુ કર્મચારી સભ્ય સંખ્યા ધરાવતાં ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોયીઝ એસોસીએશનને માન્યતા આપવાની વર્ષો જૂની માંગને પણ આ સાથે સામેલ કરવામાં આવી છે. બન્ને મુસદ્દાને લઈ એલઆઇસીના વર્ગ ૩ અને ૪ના કર્મચારીઓ તા.૨૦ને રુરૂવારે  બપોરે ૧૨.૩૦ થી ૧.૩૦  સુધી એમ એક કલાકની હડતાળ પાડશે અને નિલમબાગ કચેરી ખાતે દેખાવો યોજશે.

Tags :