Gujarat
વડોદરાના કારેલીબાગ બાલભવન પાસે ઉચ્ચ અધિકારીઓના બંગલાની નજીક સપ્તાહથી પાણીની લાઈનમાં લીકેજ
By GS TEAM
13 May 20261 min read
કારેલીબાગ બાલ ભવન સામે છેલ્લા એક અઠવાડિયાથી પાણીની લાઈન લીકેજની સમસ્યા યથાવત રહી છે. દરરોજ સવારે પાણી વિતરણ સમયે મોટી માત્રામાં પાણી મુખ્ય માર્ગ પર વહેતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે.
Summarized by AI; it may make mistakes. Check important info
કારેલીબાગ બાલ ભવન સામે છેલ્લા એક અઠવાડિયાથી પાણીની લાઈન લીકેજની સમસ્યા યથાવત રહી છે. દરરોજ સવારે પાણી વિતરણ સમયે મોટી માત્રામાં પાણી મુખ્ય માર્ગ પર વહેતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : કારેલીબાગ બાલ ભવન સામે છેલ્લા એક અઠવાડિયાથી પાણીની લાઈન લીકેજની સમસ્યા યથાવત રહી છે. દરરોજ સવારે પાણી વિતરણ સમયે મોટી માત્રામાં પાણી મુખ્ય માર્ગ પર વહેતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. સતત લીકેજના કારણે રોડની નીચે ખાડો પડી જવાની અને ભારે વાહન પસાર થાય તો આખો માર્ગ બેસી જવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ માર્ગ પરથી અનેક ઉચ્ચ અધિકારીઓ અને જવાબદાર તંત્રના વાહનો અવર જવર કરતા હોય છે તેમજ મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુન્સિપલ કમિશનના બંગલા અહીંથી ખૂબ નજીક આવેલા છે. છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. સ્થાનિકોએ તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠાવી છે.









