ગોતા બ્રિજ પાસે પાઈપમાંલીકેજ થતાં ઘાટલોડિયા,રાણીપ,જોધપુર સહિતના વિસ્તારોમાં પાણી સપ્લાય ઉપર અસર
ચાંદખેડામાં રોડ પ્રોજેકટની કામગીરીમા પાણીની લાઈનમાં ભંગાણ પડયુ
અમદાવાદ,બુધવાર,7 ફેબ્રુ,2024
એસ.જી.હાઈવે ઉપર ગોતા બ્રિજ પાસે ૧૮૦૦ ડાયા મીટરની પાણીની
લાઈનમાં લીકેજ થતા ઘાટલોડિયા,રાણીપ
અને જોધપુર સહિતના વિસ્તારોના પાણી સપ્લાય ઉપર અસર થઈ હતી.ચાંદખેડા વોર્ડમાં રોડ
પ્રોજેકટની કામગીરી સમયે પાણીની લાઈનમાં ભંગાણ પડવાની ઘટના બની હતી.જેનુ બાદમાં સમારકામ કરવામા આવ્યુ હતુ
ગોતા બ્રિજ પાસે ૧૮૦૦ ડાયામીટરની એમ.એસ. પાણીની લાઈનમાં
લીકેજ થતા લીકેજ રીપેરીંગની કામગીરી માટે વૈષ્ણોદેવી ઓવરહેડ ટાંકીથી એસ.જી.હાઈવે
ઉપર આવતી લાઈનનો વાલ્વ બંધ કરી તાકીદે લીકેજ રીપેરીંગની કામગીરી મ્યુનિ.તંત્રે શરુ
કરી હતી.પાઈપલાઈન લીકેજ થવાના પગલે રાણીપ,ઘાટલોડીયા, ચાંદલોડીયા,ગોતા,થલતેજ,બોડકદેવ ઉપરાંત
જોધપુર અને વેજલપુર વોર્ડમા આવેલા વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોથી આપવામા આવતા પાણી
સપ્લાય ઉપર અસર થવા પામી હતી.પાણી સમિતિના ચેરમેન દીલીપ બગરીયાએ કહયુ,આ તમામ વોર્ડ
વિસ્તારમા ગુરુવારથી રાબેતા મુજબ પાણી સપ્લાય મળતો થઈ જશે.