Gujarat

જામજોધપુરના ધ્રાફા ગામની સીમમાં વાડીના મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનોદરોડો : 8.95 લાખની મતા સાથે 6 આરોપીઓને અટકાયત

By GS TEAM
27 Dec 20252 mins read
TukuTouch Logo
પોલીસે રૂપિયા 8.95 લાખની માલમતા સાથે 6 આરોપીઓને ઝડપી લીધા : જ્યારે અન્ય 11 આરોપીઓ ભાગી છુટતાં શોધખોળ હાથ ધરાઈ

Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુરના ધ્રાફા ગામની સીમમાં વાડીના મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનોદરોડો : 8.95 લાખની મતા સાથે 6 આરોપીઓને અટકાયત

Jamnagar Gambling Raid : જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની સીમમાં એક વાડીમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ગઈ મોડી રાત્રે દરોડો પાડયો હતો, જે દરમિયાન ભારે નાસભાગ થઈ હતી. એલસીબીની ટુકડીએ 6 આરોપીઓને ઝડપી લઈ અને રૂપિયા 8.95 લાખની માલમતા કબજે કરી છે, જ્યારે અન્ય 11 આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની બોરીયા-બંધીયા નામની સીમમાં ગઈ રાત્રે જુગાર અંગે દરોડો પાડ્યો હતો. જ્યાં જયરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (રહે.ધ્રાફાગામ તા.જાજોધપુર) વાળો તેના મીત્ર પ્રકાશભાઇ બહાદુરભાઇ બરડાઇ (રહે.પોરબંદર) વાળા સાથે મળીને જયરાજસિંહ ધનશ્યામસિંહ જાડેજાની કબ્જા ભોગવટાની વાડીના ખેતરમાં આવેલ ઓરડીમાં બહારથી માણસો ભેગા કરી અંદર બહારના નામે ગંજીપાના વડે જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી પોતાના અંગત ફાયદા સારું નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી રહ્યા હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો, જે દરમિયાન ભારે નાસભાગ થઈ હતી.

પોલીસે બનાવના સ્થળેથી (1) પ્રકાશભાઇ બહાદુરભાઇ બરડાઇ (રાણાવાવ), (2) કેશુભાઇ વજેશીભાઈ આગઠ (પોરબંદર), (3) દિવ્યેશભાઇ નારણભાઈ વાજા (પોરબંદર), (4) રવિભાઇ શાંતીલાલભાઈ નડીયાધાર (પોરબંદર), (5) મનિશભાઈ ડાયાભાઈ વકાતર (જામજોધપુર) અને (6) મહાવિરસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા (ધ્રાફાગામ) ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડા રૂ.1,10,000તથા મોબાઇલ ફોન નં-7 (કિ.રૂ.85,000), તથા એક કાર અને બે મોટર સાયકલ (કિ.રૂ.7,00,000) મળી કુલ કિ.રૂ.8,95,000નો મુદામાલ કબજે કર્યો છે.

તેમજ આ દરોડા સમયે (1) જયરાજસિંહ ધનશ્યામસિંહ જાડેજા (રહે.ધ્રાફા), (2) નિલેશભાઇ ભુતીયા મેર (પોરબંદર), (3) રાજુભાઇ મોઢવાળીયા (પોરબંદર), (4) અરજણ ઉર્ફે ભુરો બાપોદરા (કોટડાગામ, કુતીયાણા), (5) કિશનભાઇ (પોરબંદર), (6) કેશુભાઇ ઓડેદરા (કુતીયાણા) (7) ઇરફાન મુસ્લીમ (ચોરબેડીગામ-લાલપુર), (8) રામદેભાઇ રાણાભાઇ ઓડેદરા (પોરબંદર), (9) દાસાભાઇ (જુનાગઢ), (10) અશોકભાઇ (જુનાગઢ), (11) રાઠોડભાઈ ખાપટ વિસ્તાર પોરબંદર વાળા વગેરે ભાગી છુટ્યા હોવાથી તેઓને ફરાર જાહેર કર્યા છે.