Get The App

જિલ્લામાં 97,718 હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
જિલ્લામાં 97,718 હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર 1 - image


- 'સોનાવરણી સીમ બની, મેહુલિયે કીધી મ્હેર રે, ભાઈ મોસમ આવી મહેનતની'

- અત્યાર સુધીમાં સૌથી વધુ 45,339 હેક્ટરમાં કપાસનું અને 43,973 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું : વાવેતર હજુ એક સપ્તાહ ચાલશે

ભાવનગર : ભાવનગર જિલ્લામાં સચરાચર મેઘમહેરથી ધરતીપુત્રોમા આનંદની લહેર પ્રસરી છે. પ્રથમ વરસાદ વાવણી લાયક થતાં ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર શરૂ કરી દીધું છે. જિલ્લામાં ૧૯મી જૂન સુધીમાં ૯૭,૭૧૮ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોની વાવણી થઈ ચૂકી છે. જેમાં સૌથી વધુ ૪૫,૩૩૯ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હોવાનું ભાવનગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવાયું હતું. 

ચાલુ સિઝનમાં થયેલાં વાવેતરની વિગતો જોઇએ તો ભાવનગર તાલુકામાં ૧૨ હેક્ટરમાં બાજરી, ૨૧૫ હેક્ટરમાં મગફળી, ૩૨૮ હેક્ટરમાં કપાસ, ૪૨ હેક્ટરમાં શાકભાજી, ૧૨૪ હેક્ટરમાં ઘાસચારા સહિત કુલ ૭૨૧ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, તો ગારીયાધાર તાલુકામાં ૧૯ હેક્ટરમાં મગફળી, ૨૩૭ હેક્ટરમાં કપાસ સહિત કુલ ૨૫૬ હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે ઘોઘા તાલુકામાં ૦૫ હેક્ટરમાં મગ, ૦૪ હેક્ટરમાં અડદ, ૬,૨૭૯ હેક્ટરમાં મગફળી, ૩,૭૧૨ હેક્ટરમાં કપાસ, ૧૩૪ હેક્ટરમાં શાકભાજી,૧,૦૪૩ હેક્ટરમાં ઘાસચારા સહિત કુલ ૧૧,૧૭૭ હેક્ટરમાં વાવેતર થયું છે, તો જેસર તાલુકામાં ૧૪૬ હેક્ટરમાં બાજરી, ૦૭ હેક્ટરમાં મકાઇ, ૦૨ હેક્ટરમાં તુવેર, ૧૬ હેક્ટરમાં મગ, ૨૨ હેક્ટરમાં અડદ, ૧૩,૯૪૪ હેક્ટરમાં મગફળી, ૨૨ હેક્ટરમાં તલ, ૮,૫૦૨ હેક્ટરમાં કપાસ, ૨૩૯ હેક્ટરમાં શાકભાજી, ૬૫૯  હેક્ટરમાં ઘાસચારા સહિત કુલ ૨૩,૫૫૯ હેક્ટરમાં વાવેતર થયું છે. 

મહુવા તાલુકામાં ૬૧૭ હેક્ટરમાં બાજરી, ૩૫ હેક્ટરમાં મગ, ૧૯,૮૬૯ હેક્ટરમાં મગફળી, ૦૫ હેક્ટરમાં સોયાબીન, ૧૫,૨૧૨ હેક્ટરમાં કપાસ, ૪૮૫ હેક્ટરમાં શાકભાજી અને ૨,૫૫૧ હેક્ટરમાં ઘાસચારા સહિત કુલ ૩૮,૭૭૪ હેક્ટરમાં વાવેતર થયું છે. તેવી જ રીતે પાલિતાણા તાલુકામાં ૧૩ હેક્ટરમાં તુવેર, ૭૧૩ હેક્ટરમાં મગફળી, ૩,૨૫૫ હેક્ટરમાં કપાસ, ૪૯ હેક્ટરમાં શાકભાજી, ૫૪૪ હેક્ટરમાં ઘાસચારા સહિત કુલ ૪,૫૭૪ હેક્ટરમાં વાવેતર થયું છે. શિહોર તાલુકામાં ૧૩૨ હેક્ટરમાં બાજરી, ૨૩ હેક્ટરમાં તુવેર, ૧૪ હેક્ટરમાં મગ, ૦૨ હેક્ટરમાં મઠ, ૦૨ હેક્ટરમાં અડદ, ૨,૪૦૨ હેક્ટરમાં મગફળી, ૨૫ હેક્ટરમાં તલ, ૯,૦૧૧ હેક્ટરમાં કપાસ, ૨૬૪ હેક્ટરમાં શાકભાજી, ૮૬૧ હેક્ટરમાં ઘાસચારા સહિત કુલ ૧૨,૭૩૬ હેક્ટરમાં વાવેતર થયું છે. તળાજા તાલુકામાં ૫૧૦ હેક્ટરમાં મગફળી, ૧૦૨ હેક્ટરમાં કપાસ, ૦૩ હેક્ટરમાં શાકભાજી, ૨૭ હેક્ટરમાં ઘાસચારા સહિત કુલ-૬૪૨ હેક્ટરમાં વાવેતર કરી દેવામાં આવ્યું છે. ઉમરાળા તાલુકામાં ૨૨ હેક્ટરમાં મગફળી, ૧૦૮૬ હેક્ટરમાં કપાસ, ૩૫ હેક્ટરમાં શાકભાજી, ૧૦૨ હેક્ટરમાં ઘાસચારા સહિત કુલ ૧,૨૪૫ હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે વલ્લભીપુર તાલુકામાં ૩,૮૯૪ હેક્ટરમાં કપાસ, ૧૫ હેક્ટરમાં શાકભાજી અને ૧૨૫ હેક્ટરમાં ઘાસચારા સહિત કુલ ૪,૦૩૪ હેક્ટરમાં વાવેતર થયું છે.  સૂત્રોએ જણાવ્યું હતું કે, વાવેતર કાર્ય હજુ આઠથી દસ સુધી ચાલશે.                                  

જિલ્લામાં વિવિધ પાકનું વાવેતર

પાક

હેક્ટર

કપાસ

૪૫,૩૩૯

મગફળી

૪૩,૯૭૩

ઘાસચારો

,૦૩૬

શાકભાજી

,૨૬૬

બાજરી

૯૦૭

મકાઈ

તુવેર

૩૮

મગ

૭૦

મઠ

અડદ

૨૮

તલ

૪૭

સોયાબિન

કુલ

૯૭,૭૧૮

જિલ્લામાં 3 વર્ષનું સરેરાશ વાવેતર         

તાલુકો

હેક્ટર

ભાવનગર

૩૧,૬૨૧

ગારિયાધાર

૩૮,૯૭૧

ઘોઘા

૨૬,૩૨૪                         

જેસર

૨૮,૨૪૫

મહુવા

૭૮,૫૭૧

પાલિતાણા

૩૪,૩૭૧

સિહોર

૪૨,૮૩૪

તળાજા

૫૮,૨૯૩

ઉમરાળા

૩૦,૯૦૬

વલ્લભીપુર

૪૫,૨૧૮

કુલ

,૧૫,૩૫૪                                                             

Tags :