Get The App

પુત્રને મળવા લંડન પહોંચે એ પહેલાં જૂનાગઢનાં દંપતીને કાળ આંબી ગયો

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
પુત્રને મળવા લંડન પહોંચે એ પહેલાં જૂનાગઢનાં દંપતીને કાળ આંબી ગયો 1 - image


અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જૂનાગઢના ત્રણ લોકો સામેલ

કૃષિ યુનિ.ના નિવૃત્ત બાગાયત અધિકારી અને તેનાં પત્ની તા.૧૦ના જૂનાગઢથી, મીરાનગરમાં રહેતા મહિલા પુત્રીને ત્યાં લંડન જતા હતા

જૂનાગઢ: અમદાવાદના પ્લેન દુર્ઘટનામાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના  નિવૃત્ત બાગાયત અધિકારી અને તેના પત્ની પણ ભોગ બન્યા છે. આ ઉપરાંત, મીરાનગરમાં રહેતા એક મહિલા પોતાનાં પુત્રીને મળવા લંડન જતા હતા તેઓ પણ આ પ્લેનમાં સવાર હતા અને તેઓનું પણ મોત થતા ગમગીની વ્યાપી ગઈ હતી.

જૂનાગઢમાં કલેકટર કચેરી નજીક આવેલી શ્રીધર નગર સોસાયટીમાં રહેતા કૃષિ યુનિવસટીના નિવૃત બાગાયત અધિકારી રવજીભાઈ શંભુભાઈ ચોવટીયા (ઉ.વ.૬૫)ના પુત્ર લંડનમાં રહે છે. ગત તા.૧૦ના રવજીભાઈ ચોવટીયા અને તેના પત્ની શારદાબેન ચોવટીયા જૂનાગઢથી લંડન જવા માટે નીકળ્યા હતા. તેમની આજની ફલાઇટ હોવાથી અમદાવાદ સબંધીને ત્યાં રોકાયા હતા. આજે બપોરે ફલાઈટમાં તેઓ લંડન જવા નીકળ્યા હતા પરંતુ પુત્રને ત્યાં પહોંચે એ આ દંપતીનો ભોગ લેવાતા પરિવાર અને પાડોશીઓમાં ગમગીની વ્યાપી ગઈ હતી.

જ્યારે મીરાનગર વિસ્તારમાં રહેતા નિરૂપમાબેન રામભાઈ ડાંગર નામના મહિલા લંડન રહેતા પુત્રીને મળવા જવા નીકળ્યા હતા. અમદાવાદથી આજે બપોરે તેઓ લંડનની ફલાઈટમાં સવાર હતા. પ્લેન દુર્ઘટનાના સમાચાર સાંભળી તેના પરિવારજનો અમદાવાદ જવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું હતું.

જૂનાગઢનાં ત્રણ એ પ્લેનમાં હતા, વિગતો મેળવાઈ રહી છેઃ અધિકારી

કલેકટર કચેરીના અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટના થઈ છે તેમાં જૂનાગઢના શ્રીધરનગરમાં રહેતા રવજીભાઈ શંભુભાઈ ચોવટીયા, શારદાબેન રવજીભાઈ ચોવટીયા અને મીરાનગરમાં રહેતા નિરૂપમાબેન રામભાઈ ડાંગર ફલાઈટમાં સવાર હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ અંગે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.

Tags :