Get The App

વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પગલે જેતલપુર બ્રિજ અને ગરનાળુ 15 દિવસ માટે બંધ

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પગલે જેતલપુર બ્રિજ અને ગરનાળુ 15 દિવસ માટે બંધ 1 - image

Vadodara Bullet Train Project : વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે અવારનવાર રસ્તા બંધ કરી વાહન વ્યવહાર બીજે ડાયવર્ટ કરવામાં આવતો હોય છે. જે દરમિયાન પ્રિય લક્ષ્મી મિલના ગરનાળા પછી હવે જેતલપુર ગરનાળુ બંધ કરવામાં આવ્યું છે.

વડોદરાના રેલ્વે સ્ટેશનથી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડવા માટે અલકાપુરી તેમજ જેતલપુર ગરનાળા મુખ્ય છે. જે પૈકી જેતલપુર ગરનાળા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલતી હોવાથી 15 દિવસ માટે અહીંથી અવરજવર બંધ કરવામાં આવી છે. આ માટે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં રેસકોર્સ ચકલી સર્કલથી સયાજી હોસ્પિટલ તરફ આવવા માટે તેમજ જવા માટે ઉપયોગમાં લેવામાં આવતા બ્રિજ તેમજ અંડરપાસમાંથી વાહન વ્યવહાર બંધ રહેશે. 

આ માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વાહન ચાલકોએ અલકાપુરી ગરનાળા તેમજ અકોટા બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે.