Gujarat

જામનગરની પાંજરાપોળ સંસ્થા તેમજ જીવદયા પ્રેમીઓએ કતલખાને ધકેલાતા 21 અબોલ જીવને ઉગાર્યા

By GS TEAM
27 Dec 20251 min read
TukuTouch Logo
જામનગરમાં લીમડાલાઈન સ્થિત 150 વર્ષ જુની પાંજરાપોળ સંસ્થાના ટ્રસ્ટી વગેરેની ટીમ દ્વારા જીવદયા પ્રેમીઓની મદદથી તાજેતરમાં કતલખાને લઈ જવાતા 21 અબોલ જીવોને બચાવી લેવામાં આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરની પાંજરાપોળ સંસ્થા તેમજ જીવદયા પ્રેમીઓએ કતલખાને ધકેલાતા 21 અબોલ જીવને ઉગાર્યા

Jamnagar : જામનગરમાં લીમડાલાઈન સ્થિત 150 વર્ષ જુની પાંજરાપોળ સંસ્થાના ટ્રસ્ટી વગેરેની ટીમ દ્વારા જીવદયા પ્રેમીઓની મદદથી તાજેતરમાં કતલખાને લઈ જવાતા 21 અબોલ જીવોને બચાવી લેવામાં આવ્યા હતા.

જામનગર પાંજરાપોળ દ્વારા ગૌસેવાની સાથે સાથે જીવદયા જેવી પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે. તાજેતરમાં એક વાહનમાં ભરીને અબોલ જીવોને કતલખાને લઈ જવાતા હોવાની માહિતી મળતાં પાંજરાપોળના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓએ દાતાઓના સહયોગથી આર્થિક વળતર ચૂકવી આ તમામ 21 અબોલ જીવોને બચાવી લીધા, અને તેમને સુરક્ષિત રીતે જામનગરની પાંજરાપોળમાં નિભાવ માટે લાવવામાં આવ્યા હતા.