દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર એસ.ટી.વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો શરુ કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar GSRTC : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને સમગ્ર ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં મુસાફરોને પોતના વતન જવા-આવવા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. જેમાં તા.16/10/2025 થી તા.05/11/2025 સુધી જામનગર એસ.ટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. અને ડેપો ખાતેથી મુસાફરો આ સમયગાળા દરમિયાન એડવાન્સ બુકિંગ પણ કરાવી શકશે.
જો એક જ ગ્રુપના 51 થી વધુ મુસાફરો ગ્રુપ બુકિંગ કરાવશે તો એક્સ્ટ્રા બસની સુવિધા એસ.ટી નિગમ દ્વારા આપવામાં આવશે. માટે દિવાળીના તહેવાર દરમ્યાન જનતાને એસ.ટી બસોની સુવિધાનો વધુમાં વધુ લાભ લેવા એસ.ટી.જામનગરના વિભાગીય નિયામક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે તેના રૂટ અને ભાડુ જેમાં દ્વારકા-જામનગરનું ભાડું રૂ.197, દ્વારકા-રાજકોટનું ભાડું રૂ.269, દ્વારકા-પોરબંદરનું ભાડું રૂ.167, દ્વારકા-સોમનાથનું ભાડું રૂ.179, દ્વારકા-જુનાગઢનું ભાડું રૂ.251, જામનગર-દાહોદનું ભાડું રૂ.442, જામનગર-સંજેલીનું ભાડું રૂ.418 તથા જામનગર-જુનાગઢનું ભાડું રૂ.183 નક્કી કરવામાં આવ્યું છે.









