Get The App

જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાની બઢતી સાથે નર્મદા જિલ્લાના રાજપીપળામાં બદલી

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાની બઢતી સાથે નર્મદા જિલ્લાના રાજપીપળામાં બદલી 1 - image

જામનગર ગ્રામ્ય વિભાગમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર દેવધાને તેમની ઉત્તમ સેવા અને શિસ્તબદ્ધ કામગીરી બદલ બઢતી આપવામાં આવી છે. બઢતી સાથે તેમને નર્મદા જિલ્લાના રાજપીપળામાં વિભાગીય પોલીસ અધિકારી તરીકે જવાબદારી સંભાળવાની રહેશે.

રાજેન્દ્ર દેવધાએ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ફરજ દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવામાં, ગુનાખોરી નિયંત્રણમાં તથા જનસંપર્ક વધારવામાં પ્રશંસનીય કામગીરી કરી છે.જામનગર પોલીસ પરિવાર તરફથી તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.