Gujarat

ખંભાળિયાની એક હત્યાના કેસમાં 20 વર્ષની સજા પામેલો જામનગરનો એક કેદી પેરોલ જમ્પ કરીને ભાગી છુટ્યા બાદ ધ્રોળ પંથકમાંથી ઝડપાયો

By GS TEAM
5 Feb 20261 min read
TukuTouch Logo
જામનગરમાં સેટેલાઈટ પાર્ક વિસ્તારમાં રહેતા સબીર મિયાં અઝીઝમીયા સૈયદ (ઉંમર વર્ષ ૫૦) કે જેને ખંભાળિયાના હત્યા ના એક ગુનામાં 20 વર્ષની જેલ સજા ફટકારવામાં આવી હતી, અને પોતે વડોદરા ની જેલમાં પાકા કામના કેદી તરીકે જેલવાસ ભોગવતો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ખંભાળિયાની એક હત્યાના કેસમાં 20 વર્ષની સજા પામેલો જામનગરનો એક કેદી પેરોલ જમ્પ કરીને ભાગી છુટ્યા બાદ ધ્રોળ પંથકમાંથી ઝડપાયો

જામનગરમાં સેટેલાઈટ પાર્ક વિસ્તારમાં રહેતા સબીર મિયાં અઝીઝમીયા સૈયદ (ઉંમર વર્ષ ૫૦) કે જેને ખંભાળિયાના હત્યા ના એક ગુનામાં 20 વર્ષની જેલ સજા ફટકારવામાં આવી હતી, અને પોતે વડોદરા ની જેલમાં પાકા કામના કેદી તરીકે જેલવાસ ભોગવતો હતો.

દરમિયાન તેને 16.10.2025થી 31.10.2025 સુધી 14 દિવસ માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો, અને પોતાની મુદત પૂરી થઈ ગયા બાદ ફરીથી જેલમાં હાજર થયો ન હતો, અને નાસ્તો ફરતો રહ્યો હતો. 

ઉપરોક્ત ફરારી આરોપી જેને પોલીસ શોધી રહી હતી, દરમિયાન ગઈકાલે જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં પોતે આવ્યો હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે વોચ ગોઠવી ઝડપી લીધો હતો, અને તેને ફરીથી વડોદરાની જેલમાં મોકલી આપ્યો છે.