Gujarat

ધ્રોલ પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં 3 વર્ષથી ફરાર થઈ ગયેલા કેદીને જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમેં ઝડપી લીધો

By GS TEAM
4 Feb 20261 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના હત્યાના એક ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી વચગાળાના જામીન પર છૂટીને ફરાર થઈ ગયેલા એક કેદીને જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે ઝડપી લીધો છે, અને તેને ફરીથી જેલ હવાલે કરી દીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધ્રોલ પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં 3 વર્ષથી ફરાર થઈ ગયેલા કેદીને જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમેં ઝડપી લીધો

Jamnagar Crime : જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના હત્યાના એક ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી વચગાળાના જામીન પર છૂટીને ફરાર થઈ ગયેલા એક કેદીને જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે ઝડપી લીધો છે, અને તેને ફરીથી જેલ હવાલે કરી દીધો છે.

 જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ મથકમાં 2020 ની સાલમાં હત્યા અંગેનો એક ગુનો નોંધાયો હતો, જેમાં જામનગરમાં પટેલ વાડી શેરી નંબર-2 માં રહેતા અનિરુદ્ધસિંહ અનોપસિંહ સોઢાની અટકાયત કરાઈ હતી, અને તેને રાજકોટની જેલમાં મોકલી દેવાયો હતો. જે આરોપી વચગાળાના જામીન પર છૂટીને ફરાર થઈ ગયો હતો, અને છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો ફરતો રહ્યો હતો.

 જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમ દ્વારા તેને પકડવા માટે ઝાળ બિછાવી હતી, અને રાજકોટમાંથી અનિરુદ્ધસિંહ સોઢાને ઝડપી લીધો હતો, અને તેને ફરીથી રાજકોટની જેલમાં મોકલી આપ્યો છે.