Gujarat

જામનગર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે 30 સ્થળોએ લાગી આગ, ફટાકડાના કારણે બની ઘટના

By GS TEAM
21 Oct 20252 mins read
TukuTouch Logo
30 Fire Breakouts in Jamnagar on Diwali Night : જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે આગ લાગવાના 30 જેટલા બનાવો નોંધાયા હતા, જેના પગલે જામનગર મહાનગરપાલિકાનું ફાયરતંત્ર આખી રાત દોડતું રહ્યું હતું. સદભાગ્યે, ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે કોઈ જાનહાનિ કે મોટી નુકસાનીના અહેવાલો મળ્યા નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે 30 સ્થળોએ લાગી આગ, ફટાકડાના કારણે બની ઘટના

30 Fire Breakouts in Jamnagar on Diwali Night :  જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે આગ લાગવાના 30 જેટલા બનાવો નોંધાયા હતા, જેના પગલે જામનગર મહાનગરપાલિકાનું ફાયરતંત્ર આખી રાત દોડતું રહ્યું હતું. સદભાગ્યે, ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે કોઈ જાનહાનિ કે મોટી નુકસાનીના અહેવાલો મળ્યા નથી.

13 કલાકમાં 30 સ્થળોએ આગ લાગી 

દિવાળીની રાત્રે સાંજે 6 વાગ્યાથી લઈને વહેલી સવારે 6 વાગ્યા સુધીના 13 કલાકના સમયગાળા દરમિયાન આગ લાગવાની કુલ 30 ઘટનાઓ બની હતી. આ તમામ બનાવો ફટાકડાના કારણે સર્જાયા હોવાનું માનવામાં આવે છે.

ફાયર બ્રિગેડને સૌપ્રથમ આગની ઘટનાનો સંદેશો સાંજે 7 વાગ્યે બેડી બંદર રોડ પર આવેલા તિરુપતિ પાર્ક-1 માં મળ્યો હતો, જ્યાં ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી. ત્યારબાદ, જનતા ફાટક રોડ પર કચરાના ઢગલામાં, હાપા પાસે મારુતિ સુઝુકી શોરૂમ નજીક એક ઝૂંપડામાં, દિગ્વિજય પ્લોટ નજીક હિંગળાજ ચોકમાં, અને જકાતનાકા પાસે કચરામાં આગ લાગવાના બનાવો બન્યા હતા.

મોટું નુકસાન થતાં અટક્યું 

રાત્રિ દરમિયાન મોટાભાગના બનાવો ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલા, ઝાડી-ઝાંખરા અને ઝાડમાં આગ લાગવાના હતા. જોકે, બે મહત્વપૂર્ણ ઘટનાઓમાં ફાયરતંત્રની તત્પરતાથી મોટું નુકસાન થતું અટક્યું હતું:

રાત્રે 1:10 વાગ્યે ન્યૂ સ્કૂલ પાસે આવેલા એક બિલ્ડીંગના ચોથા માળે આવેલા જીમમાં આગ લાગી હતી, જ્યાં ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. તો રાત્રે 2:42 વાગ્યે મોરકંડા ઘાર પાસે એક દુકાનમાં આગ લાગી હતી, જ્યાં સમયસરની કાર્યવાહીથી નુકસાની થતી અટકી હતી. જ્યારે રાત્રે 2:35 વાગ્યે જે.જે. ટાવર પાસે એક મકાનમાં લાગેલી આગને પણ સમયસર કાબુમાં લઈ લેવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈની આગેવાનીમાં 120થી વધુ ફાયરના જવાનોએ રાત્રિભર એલર્ટ મોડમાં રહીને જુદા જુદા ફાયર ફાઇટર સાથે દોડી જઈને તમામ 30 સ્થળો પર આગ બુઝાવવાની કામગીરી કરી હતી. ફાયરતંત્રની સતર્કતા અને ઝડપી પ્રતિસાદના કારણે જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં કોઈ પણ મોટી જાનહાનિ કે ગંભીર નુકસાનીના અહેવાલો મળ્યા નથી.