Gujarat

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા એસ.આઈ.આર.ની કામગીરી દરમિયાન ફોર્મ નંબર-7ના પ્રશ્ને વાંધા સહિત રજુઆત કરાઈ

By GS TEAM
5 Feb 20261 min read
TukuTouch Logo
જામનગર શહેરમાં ચાલતી એસ.આઈ.આર. ની કામગીરી દરમિયાન ફોર્મ-7 આધારિત મોટા પાયાના વાંધાઓ અંગે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા એસ.આઈ.આર.ની કામગીરી દરમિયાન ફોર્મ નંબર-7ના પ્રશ્ને વાંધા સહિત રજુઆત કરાઈ

જામનગર શહેરમાં ચાલતી એસ.આઈ.આર. ની કામગીરી દરમિયાન ફોર્મ-7 આધારિત મોટા પાયાના વાંધાઓ અંગે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી.

જામનગર શહેરમાં એસ.આઈ.આર. ની કામગીરી દરમિયાન કોઈપણ અજાણી વ્યક્તિના નામે ફોર્મ નંબર-7માં અનેક વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ભાજપના ઈશારે કેટલાક સરકારી કર્મચારીઓ પણ કામમાં મદદ કરી રહ્યા છે અને ખોટા ફોર્મ ઘુસાડી દેવા નો આક્ષેપ કરી ને લેખિત વાંધાઓ સાથે રજૂઆત કરવામાં આવી છે.  

આ કામગીરીમાં ચોક્કસ કોમના લોકોના નામો કમી કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે, જેનો કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લાના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા, જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા વગેરે ની આગેવાનીમાં જામનગર શહેર જિલ્લાના કોંગ્રેસના આગેવાનો, કોંગી કોર્પોરેટર, તથા કાર્યકરો વગેરે બહોળી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી જઈ વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે, અને ઉગ્ર રજૂઆત કરી છે.