Get The App

અમદાવાદ પ્લેન ક્રેશમાં જામનગરના દંપતીનું પણ મોત, દીકરો અગાઉ આ રીતે જ મૃત્યુ પામ્યો હતો

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદ પ્લેન ક્રેશમાં જામનગરના દંપતીનું પણ મોત, દીકરો અગાઉ આ રીતે જ મૃત્યુ પામ્યો હતો 1 - image


Ahmedabad Plane Crashed: અમદાવાદમાં ગુરૂવારે (12 જૂન) બપોરે સર્જાયેલી ગોઝારી વિમાન દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, ત્યારે જામનગરના એક બક્ષી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. આ કરુણ ઘટનામાં જામનગરથી લંડન પરત ફરવા રવાના થયેલા એક દંપતી નેહલબેન અને શૈલેષભાઈ પરમાર દુર્ઘટનાનો ભોગ બન્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. સૌથી હૃદયદ્રાવક વાત એ છે કે, આ દંપતીના એકમાત્ર પુત્રનું પણ ત્રણ વર્ષ પહેલાં વિમાન દુર્ઘટનામાં જ અવસાન થયું હતું.

પુત્રની જેમ માતા-પિતા પણ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા

જામનગરમાં રહેતા હરિહરભાઈ બક્ષી બીમાર હોવાથી તેમના લંડનમાં રહેતા પુત્રી નેહલબહેન અને જમાઈ શૈલેષ પરમાર જામનગર આવ્યા હતા. ગુરૂવારે સવારે તેઓ જામનગરથી અમદાવાદ જવા રવાના થયા હતા, જ્યાંથી તેમણે બપોરે દોઢ વાગ્યે લંડન માટેની હવાઈ મુસાફરી શરૂ કરી હતી. કમનસીબે, ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં આ વિમાન ક્રેશ થયું, જેમાં અનેક લોકોના મૃત્યુ થયા છે.

અમદાવાદ પ્લેન ક્રેશમાં જામનગરના દંપતીનું પણ મોત, દીકરો અગાઉ આ રીતે જ મૃત્યુ પામ્યો હતો 2 - image

આ પણ વાંચોઃ વડોદરાથી પૌત્રીનું મોઢું જોવા યુકે જતા દાદી પ્લેન દુર્ઘટનાનો ભોગ બન્યા, પાદરીયા પરિવારમાં શોક

આ ઘટનાથી બક્ષી પરિવાર પર જાણે આભ ફાટ્યું છે, કારણ કે શૈલેષભાઈ અને નેહલબેનને સંતાનમાં એકમાત્ર પુત્ર હિત હતો. આશરે ત્રણ વર્ષ પહેલાં હિત લંડનમાં વિમાન ઉડાડવાની તાલીમ લેતો હતો અને તેની તાલીમના આખરી તબક્કામાં, છેલ્લી કલાકની ઉડાન બાકી હતી ત્યારે તેનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 26 વર્ષીય હિતનું મૃત્યુ થયું હતું. 26 વર્ષની ઉંમરે વિમાન ક્રેશ થતાં હિતનું મૃત્યુ થયું, અને ગુરૂવારે ફરી વિમાન દુર્ઘટના થતાં તેમાં મુસાફરી કરી રહેલા હિતના માતા-પિતા પણ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. 

પરિવારજનોના DNA સેમ્પલ લેવાયા, રિપોર્ટની રાહ

આ કરુણ સમાચાર મળતાં જ નેહલબેનના પિતરાઈ ભાઈઓ તેમજ નેહલબેનના નાના બહેનભાઈ વૈશાલીબેન બક્ષી ગઈકાલે મોડી સાંજથી જ અમદાવાદ પહોંચી ગયા હતા. આ ઉપરાંત, તેમના જમાઈ શૈલેષ પરમારના ભાઈ આનંદ પરમાર પણ જામનગરમાં જ વસવાટ કરે છે, તેઓને પણ સાથે લઈને અમદાવાદ પહોંચ્યા હતા.

અમદાવાદ પ્લેન ક્રેશમાં જામનગરના દંપતીનું પણ મોત, દીકરો અગાઉ આ રીતે જ મૃત્યુ પામ્યો હતો 3 - image

આ પણ વાંચોઃ પૂર્વ CM વિજય રૂપાણીના નિધનથી રાજકીય શોક: ગાંધીનગર ખાતેના બંગલે નેતાઓની ભીડ, અંજલિ રૂપાણીને સાંત્વના પાઠવી

અમદાવાદ પહોંચ્યા બાદ, પરિવારના બે વ્યક્તિઓના DNA ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવી હતી. બંનેના સેમ્પલો લઈ લેવાયા બાદ તેમને 72 કલાક પછી રિપોર્ટ આવ્યા બાદ સંપર્ક સાધવા જણાવાયું છે. હાલ તેમના મૃત્યુ અંગેના કોઈ જરૂરી પુરાવા કે સામાન હાથ લાગ્યો નથી, પરંતુ વિમાનમાં તમામ મુસાફરોના મૃત્યુના અહેવાલ વહેતા થયા હોવાથી, આ દંપતીના પણ મૃત્યુ થયું હોવાનું લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે.

Tags :