Gujarat

જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા પર 100 ટકા વ્યાજ માફીની યોજનાનો પુનઃ પ્રારંભ

By GS TEAM
26 Jun 20251 min read
TukuTouch Logo
આ યોજના તારીખ 16/06/2025 થી તારીખ 07/07/2025 સુધી અમલમાં રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા પર 100 ટકા વ્યાજ માફીની યોજનાનો પુનઃ પ્રારંભ

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના કરદાતાઓને રાહત આપવાના હેતુથી મિલકત વેરા, વોટર ચાર્જીસ અને વ્યવસાય વેરાની બાકી રકમ પર 100 ટકા વ્યાજ માફી યોજનાની ફરી એકવાર અમલવારી શરૂ કરવામાં આવી છે. આ યોજના તારીખ 16/06/2025 થી તારીખ 07/07/2025 સુધી અમલમાં રહેશે.

મહાનગરપાલિકાના જનરલ બોર્ડના ઠરાવ નંબર 140, તારીખ 20/06/2025 અને વહીવટી મંજૂરી તારીખ 25/06/2025 અનુસાર, તારીખ 01/04/2006 થી તારીખ 31/03/2025 સુધીના સમયગાળાની કારપેટ બેઇઝ પદ્ધતિ મુજબની બાકી રકમ પર આ વ્યાજ માફીનો લાભ મળશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે બાકીદારો વિવિધ કારણોસર તેમનો વેરો ભરી શક્યા નથી, તેઓને વ્યાજના બોજમાંથી મુક્તિ મળે અને તેઓ સરળતાથી તેમની બાકી રકમ ભરી શકે. આ યોજના તારીખ 26/06/2025 થી સત્તાવાર રીતે શરૂ થઈ જશે. મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓને સુવિધા મળી રહે તે માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેથી તેઓ સરળતાથી અને ઝડપથી તેમનો વેરો ભરી શકે અને આ યોજનાનો લાભ મેળવી શકે. વ્યાજ માફી યોજનાનો લાભ લેવા માટે અંતિમ તારીખ 07/07/2025 છે, જેની તમામ બાકીદારોએ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. આ યોજનાથી મહાનગરપાલિકાને પણ બાકી વેરાની વસૂલાતમાં મદદ મળશે અને શહેરના વિકાસ કાર્યોને વધુ વેગ મળશે.