જામનગર શહેર ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar BJP : જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરપાલિકા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે મહત્વપૂર્ણ અને સુવ્યવસ્થિત સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. ભાજપની સંગઠનાત્મક પરંપરા મુજબ કાર્યકરોના અભિપ્રાયને પ્રાથમિકતા આપતી આ પ્રક્રિયા યોજાઈ હતી.
શહેરના કુલ 16 વોર્ડની 64 બેઠકો માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રક્રિયામાં અંદાજે 1575 જેટલા દાવેદારો દ્વારા પોતાની દાવેદારી નોંધાવવામાં આવી હતી, જે ભાજપ પ્રત્યે કાર્યકરોના વિશ્વાસ અને લોકપ્રિયતાને પ્રતિબિંબિત કરે છે.
સેન્સ પ્રક્રિયા દરમિયાન પ્રદેશ નિરીક્ષકઓની ઉપસ્થિતિમાં કાર્યકરો અને આગેવાનો પાસેથી વ્યક્તિગત રીતે મંતવ્યો અને સૂચનો લેવામાં આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયા પારદર્શકતા અને સંગઠનાત્મક શિસ્ત સાથે હાથ ધરવામાં આવી હતી.

આ પ્રક્રિયા બે સ્થળોએ યોજાઈ હતી જેમાં ફ્રેન્ડ્સ હોલમાં વોર્ડ નં.1 થી 8 માટે યોજાઈ હતી, જેમાં પ્રદેશ નિરીક્ષકઓ તરીકે કેશવલાલ પટેલ (કેશુભાઈ), ધારાસભ્ય, ભૂષણભાઈ ભટ્ટ (પૂર્વ ધારાસભ્ય, પૂર્વ શહેર મહામંત્રી–કર્ણાવતી) તેમજ તેજલબેન નાયી (પ્રદેશ કારોબારી સભ્ય, પૂર્વ દંડક–ગાંધીનગર) ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે શહેર ભાજપ કાર્યાલય પર વોર્ડ નં. 9 થી 16 માટે સેન્સની પ્રક્રિયા લેવાઇ હતી, જ્યાં પ્રદેશ નિરીક્ષકઓ તરીકે અમિતભાઈ ઠાકર (ધારાસભ્ય, પૂર્વ પ્રદેશ મંત્રી), નૌકાબેન પ્રજાપતિ (પૂર્વ પ્રદેશ મંત્રી) અને ગૌતમભાઈ શાહ (પ્રદેશ કારોબારી સભ્ય, પૂર્વ મેયર) ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરોક્ત બંને સ્થળોએ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહી પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. ભાજપ દ્વારા આ સેન્સ પ્રક્રિયા દ્વારા યોગ્ય, પ્રતિબદ્ધ અને જનહિતમાં કાર્ય કરી શકે તેવા ઉમેદવારોની પસંદગી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.









