જામનગરના વેપારી પરિવાર તથા અન્ય વ્યક્તિ સાથે શેરબજારમાં રોકાણના બહાને રૂપિયા 62.94 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Fraud Case : જામનગરમાં ગુરુદ્વારા નજીક એકતા એપાર્ટમેન્ટમાં રહેતા અને શેર બજારનો વ્યવસાય કરતા દેવેનભાઈ મોહનભાઈ પટેલ નામના વેપારીએ પોતાની સાથે અને પોતાના પરિવારના અન્ય સભ્ય સાથે રોકાણના બહાને છેતરપિંડી કરવા અંગે તેમજ અન્ય એક વ્યક્તિ સહિત તમામની કુલ 62,94,813 ની રકમ મેળવી લીધા બાદ પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે જામનગરના ગાંધીનગર નવા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા હિરેન ભરતભાઈ લાખાણી સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આજથી ત્રણ વર્ષ પહેલા હિરેનભાઈ લાખાણી કે જે દેવેનભાઈ પટેલના બિઝનેસના પાર્ટનર પારૂલબેન સાથે સંપર્કમાં આવ્યો હતો, અને પારૂલબેનનો સંબંધી હોવાથી અને પોતે જામનગરની ICICIની સિક્યુરિટી બ્રાન્ચમાં ફરજ બજાવતો હોવાથી શેરબજારના ડિમેન્ટ એકાઉન્ટ ખોલાવવાના બહાને રોકાણ કરાવવાનું શરૂ કર્યું હતું, અને કટકે કટકે નાણાં જમા કરાવ્યા હતા, જે રકમ પૈકી શરૂઆતમાં સારો નફો બતાવ્યો હતો, અને કેટલૂંક વળતર આપવાની લાલચ આપી હતી.
ત્યારબાદ વધુ રોકાણ કરાવી દેવેનભાઈ અને પરિવારની સાથે, તેમજ જામનગરના ઘનશ્યામસિંહ જાડેજા નામના અન્ય એક વ્યક્તિના પણ પૈસા મેળવી લીધા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પોતે લાંબા સમયથી નાણાંની ઉચાપત કરીને ભાગી છૂટ્યો હોવાથી આખરે આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને દેવનભાઈ પટેલ, પારૂલબેન તેમજ ઘનશ્યામસિંહ વગેરે હિરેન લાખણી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં સિટી બી. ડિવિઝનના મહિલા પી.એસ.આઇએ તમામ મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહ્યા છે.
આરોપીના પિતાએ પોતાનો પુત્ર ગુમ થઈ ગયો હોવાની અને પોતાના કહયામાં ન હોવાની પણ જાહેરાત કરાવી હતી
પૈસાની છેતરપિંડી કરીને ભાગી છૂટનાર હિરેન લાખાણી કે જે ગત 11મા મહિનાથી એકાએક લાપત્તા બન્યો છે અને તેના પિતા દ્વારા સૌ પ્રથમ પોતાનો પુત્ર કહ્યામાં નથી, તેવી અખબારમાં જાહેરાત પ્રસિદ્ધ કરાવી હતી. જ્યારે જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાનો પુત્ર ગુમ થઈ ગયો હોવાની પણ ગુમ નોંધ કરાવી હતી.
સાથો સાથ દેવેનભાઈ પટેલ અને ઘનશ્યામસિંહ વગેરે સામે આરોપીના પિતા ભરતભાઈ લાખાણીએ અરજી કરી હતી, અને પૈસાની ઉઘરાણી અને ત્રાસ અપાતો હોવાનું જણાવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા દેવેનભાઈ અને ઘનશ્યામસિંહ સામે 151 હેઠળ પગલાં પણ ભરી લેવાયા છે. દેવેનભાઈ અને પારૂલબેને હિરેન લાખાણીને પરિચયના આધારે એક કાર પણ લઈ આપી હતી, જેના હપ્તા હિરેનભાઈ ભરતા ન હતા, અને કાર વાપરતા હતા. જેના હપ્તા ચડી ગયા હોવાથી દેવેનભાઇએ આ મામલો પણ પોલીસ મથક સુધી પહોંચાડ્યો હતો, અને અરજી કરી હતી. જેમાં આખરે કારનો કબજો હાલ દેવેનભાઈએ પોતાની પાસે લઈ લીધો હતો, પરંતુ કારની ચાવી અને તેના આર.સી.બુક સહિતના કાગળો આપતો ન હતો, અને પોતાની સાથે લઈને ગુમ થઈ ગયો છે. જે મામલો પણ હજુ પેન્ડિંગ છે, દરમિયાન ગઈકાલે આ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ હિરેન લાખાણીને શોધી રહી છે.








