જામનગરના ધંધાર્થી પર 10 લાખની ઉઘરાણીના મામલે હુમલો : 4 શખ્સોએ હાથ પગ ભાંગી નાખ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરમાં ઓસવાળ કોલોની વિસ્તારમાં આહિર સમાજની સામેના ભાગમાં રહેતા અને બાંધકામ રીપેરીંગ કામ કરતા કૃશાલ બકુલભાઈ પેઢડીયા નામના 30 વર્ષના વેપારી યુવાન પર હર્ષદમેદની ચાલીમાં રહેતા રજાક ખકજ અને તેના ત્રણ સાગરીતોએ લોખંડના પાઇપ પડે હુમલો કરી બંને પગ ભાંગી નાખ્યા હતા, ઉપરાંત શરીરના અન્ય ભાગોમાં માર મારી ફેક્ચર સહિતની ઇજા પહોંચાડી હતી. જેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ બનાવની જાણ થતાં સિટી સી. ડિવિઝનના સ્ટાફે બનાવના સ્થળ અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને ઇજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધ્યું હતો. જેમમાં જણાવાયા અનુસાર ફરિયાદી યુવાનના કાકાના દીકરા બ્રિજેસ વિનોદભાઈ પેઢડિયાએ આરોપી રજાક પાસેથી દસ લાખ રૂપિયા લીધા હતા, જે પરત આપ્યા વિના ચાલ્યો ગયો હોવાથી તે પૈસાની ઉઘરાણી કરવાના મામલે આ હુમલો કરી દેવાયાનું પોલીસમાં જાહેર થયું છે.









