Gujarat

જામજોધપુર માર્કેટિંગ યાર્ડના વેપારીનો રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પી લઇ આપઘાત : વેપારી આલમમાં ભારે ચકચાર

By GS TEAM
30 Nov 20251 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં ખરાવાડ નજીક પંચવટી નગરમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા પરેશ મગનભાઈ બકોરી નામના 52 વર્ષના પટેલ વેપારીએ ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુર માર્કેટિંગ યાર્ડના વેપારીનો રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પી લઇ આપઘાત : વેપારી આલમમાં ભારે ચકચાર

જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં ખરાવાડ નજીક પંચવટી નગરમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા પરેશ મગનભાઈ બકોરી નામના 52 વર્ષના પટેલ વેપારીએ ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવને લઈને વેપારીના પરિવારમાં ભારે સોંપો પડી ગયો છે, તેમજ વેપારી આલમમાં પણ ભારે ચકચાર જાગી છે. તેઓએ ક્યાં સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું તે જાણી શકાયું નથી. આ મામલામાં પ્રફુલાબેન દીપકભાઈ કનેરિયાએ પોલીસને જાણ કરતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.આર. જાડેજાએ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને સમગ્ર બનાવના મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.