Gujarat

જામનગર શહેરમાં આજથી જૈનોના પાવનકારી પર્વ પર્યુષણનો ધાર્મિક ઉલ્લાસ સાથે આરંભ

By GS TEAM
20 Aug 20252 mins read
TukuTouch Logo
પ્રતિદિન સવારે પ્રવચન, સાંજે સામુહિક પ્રતિક્રમણ, રવિવારે ભગવાનના જન્મનું વાંચન થશે

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં આજથી જૈનોના પાવનકારી પર્વ પર્યુષણનો ધાર્મિક ઉલ્લાસ સાથે આરંભ

Jamnagar : જૈન સમુદાયના પાવનકારી પર્યુષણ મહાપર્વની આજે તા.20મીથી આરંભ થઈ રહ્યો હોવાથી જૈનોમાં ધાર્મિક ઉમંગ વ્યાપ્યો છે. સાત દિવસના આ તહેવાર દરમિયાન વ્યાખ્યાનો, સમુહ પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે જુદા-જુદા દિવસોએ આવતી જૈનોના તમામ સંઘોની સંવત્સરી આ વખતે કેલેન્ડર તિથિ મુજબ ભાદરવા સુદ-ચોથ તા.27 ઓગસ્ટના રોજ એકજ દિવસે ઉજવાશે.

પર્વાધિરાજ પર્યુષણના પાવન દિવસોમાં જ્યોતિવિનોદ ઉપાશ્રય ખાતે પંન્યાસજી ગીતાર્થરત્નવિજયજી મહારાજની નિશ્રામાં પર્યુષણના સાતેય દિવસે સવારે 7:30, 8.00 અને 8:30 વાગ્યાના સમયમાં વ્યાખ્યાન અને રોજ સાંજે 7:30 વાગ્યે સમુહ પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવ્યું છે. 

તે ઉપરાંત રોજની વાત કરીએ તો આજે શ્રાવણ વદ બારસ તા.20ની સાંજે ધીની બોલી બાદ સમુહ પ્રતિક્રમણ, બીજા દિવસે તા.21ના ગુરુવારે સાંજે 7 વાગ્યે કલ્પસૂત્રના ધીની બોલી. તા.22ના શુકવારે ત્રીજા દિવસે સવારે 8:30 વાગ્યે વ્યાખ્યાન દરમિયાન કલ્પસૂત્રના ધીની ઉછામણી સાંજે 6:30 વાગ્યે કલ્પસૂત્રના ધીની બોલી અને રાત્રે મંડપમાં જન્મ વાંચનના વિવિધ લાભના ઘીની બોલી બોલાવાશે તા.23ના શનિવારે ચોથા દિવસે સવારે 8 વાગ્યે કાવ્યસુત્રની અષ્ટપકારી પુજા અને સાંજે પ્રતિક્રમણ બાદ 27ના ભાવનું સ્તવન, પાંચમા દિવસે રવિવારે તા.24મીએ સવારે 10 વાગ્યા બાદ ભગવાન મહાવીરના જન્મનું વાંચન, તા.25ના સોમવારે બપોરે 1 થી 2 બાળકોનું સામાયિક, સાંજે પંચકલ્યાણક સ્તવન, તા.26ના સાતમા દિવસે સવારે પ્રવચન દરમિયાન બારસા સુત્રના ધીની બોલી આઠમા દિવસે 8 વાગ્યે અષ્ટપ્રકારી પુજા, સાંજે 4:30 વાગ્યે સામુહિક પ્રતિક્રમણ બાદ સાવંત્સરિક ક્ષમાપના પછી નવમા દિવસે તા.28ના ગુરુવારે સવારે 8 વાગ્યાથી તપસ્વીઓના પારણા, બપોરે 2:30 વાગ્યે પ્રભુજીની શોભાયાત્રા ચાંદી બજાર ખાતેથી યોજાશે.

 પર્યુષણ નિમિત્તે ચાંદી બજારના દેરાસરો, પેલેસ દેરાસર, પાર્શ્વનાથજી દેરાસર, સમેત શિખરજી, ઓશવાળ કોલોની, કામદાર કોલોનીના દેરાસરોમાં વિવિધ અંગરચના (આંગી) ના દર્શન યોજાશે.