Gujarat

બિઝનેસમેનના અપહરણ કેસમાં જેલનો કર્મચારી હજી ફરાર

By GS TEAM
16 Dec 20251 min read
બિઝનેસમેનના અપહરણ કેસમાં  જેલનો કર્મચારી હજી ફરાર

 વડોદરા,ભરૃચના બિઝનેસમેનને ડરાવી ધમકાવી સાડા ચાર લાખ પડાવી લેવાના ગુનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે  જેલના એક કર્મચારી સહિત બે આરોપીઓ હજી ફરાર છે.

ભરૃચ શેરપુરા રોડ પર મદીના પાર્ક સોસાયટીમાં રહેતો ૩૦ વર્ષનો અફાન ઉસ્માનભાઇ કાની ઓન લાઇન ટ્રેડિંગનો બિઝનેસ કરે છે. ગત ૧૨ મી નવેમ્બરે તે વડોદરાથી ભરૃચ આવી રહ્યો હતો. તે દરમિયાન અમદાવાદના પોલીસના માણસોની ઓળખ  આપી આરોપીઓ  કારમાંથી તેની ગર્લ  ફ્રેન્ડને ઉતારી તેઓની કારમાં બેસાડીને લઇ ગયા હતા. જ્યારે અન્ય બે આરોપીઓ અફાન  તથા ડ્રાઇવરને બળજબરીથી કારમાં બેસાડી અમદાવાદ લઇ ગયા હતા. આરોપીઓએ બળજબરીથી સાડા ચાર લાખ પડાવી લીધા હતા. આ ગુનામાં માંજલપુર  પોલીસે બે આરોપીઓ યાજ્ઞિાક રમણભાઇ ચાવડા (રહે. જેલ સ્ટાફ ક્વાટર્સ, સેન્ટ્રલ જેલ, વડોદરા,મૂળ રહે. અમદાવાદ) તથા આફતાબ નઇમખાન પઠાણ, ઉં.વ.૨૬ (રહે. બરકર એપાર્ટમેન્ટની પાછળ, તાંદલજા) ને ઝડપી પાડયા હતા. જ્યારે આ ગુનામાં હજી જેલના એક કર્મચારી દાનાભાઇ કુંભાર તથા અન્ય એક આરોપી ઝકરીયાને પકડવાના બાકી છે. જેલ કર્મચારી ધરપકડથી બચવા માટે તેની ફરજ પર પણ સતત ગેરહાજર છે.