Gujarat

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું

By GS TEAM
13 Jun 20261 min read
શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું

ભાવનગરસ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા આગામી તા.૧૬ જુલાઈને ગુરૃવારે શહેરમાં પરંપરાગત રીતે ૪૧ મી રથયાત્રા વાજતે-ગાજતે નિકળશે. આ રથયાત્રાના આયોજનને લઈને કાર્યાલયનો ઉદઘાટન અને ધ્વજારોહણ કાર્યક્રમ વાઘાવાડી રોડ પર સુમેરૃ સુવાસ કોમ્પ્લેક્ષના નૂતન કાર્યાલયમાં યોજાયો હતો. પ્રારંભે સમિતિના કાર્યકારી અધ્યક્ષ પાર્થ ગોંડલીયાએ સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે સંતો, મહંતો, રાજકીય આગેવાનો, પૂર્વ સાંસદ, પૂર્વ પ્રમુખ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતીમાં ધ્વજારોહણ તથા કાર્યાલયનું ઉદઘાટન સંપન્ન થયુ હતુ. મહેમાનોએ પ્રેરક ઉદબોધન કર્યા હતા. આભારવિધિ અધ્યક્ષ હરૃભાઈ ગોંડલીયાએ કરી હતી.