યુદ્ધને કારણે ઉદ્યોગો માટેના ગેસના પુરવઠામાં ઘટ, માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણ વાપરવાની GPCBની હંગામી મંજૂરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhinagar News: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઉદ્યોગો માટેના ગેસના પુરવઠામાં ઘટ સર્જાઈ છે. જેને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(GPCB) માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણ વાપરવાની હંગામી મંજૂરી આપી છે. આ મામલે GPCBએ પરિપત્ર જાહેર કરીને માહિતી આપી છે.
યુદ્ધને કારણે ઉદ્યોગો માટેના ગેસના પુરવઠામાં ઘટ
GPCBના પરિપત્ર મુજબ, મિડલ ઈસ્ટમાં તણાવની સ્થિતિ વચ્ચે ગેસના સપ્લાયમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેની વિપરીત અસર રાજ્યના ઉદ્યોગોના ઉત્પાદન પર પડે તેવી સંભાવના છે.
માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણ વાપરવાની GPCBની હંગામી મંજૂરી
આ દરમિયાન ઉદ્યોગોની કાર્યક્ષમતા જળવાઈ રહે અને આર્થિક ગતિવિધિઓ ન અટકે એટલાં માટે GPCBએ હંગામી ધોરણે માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણ વાપરવાની પરવાનગી આપી છે.











