- લોઠપુરથી કોવાયા રોડ પર બબ્બે ફૂટ ખાડા પડી જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે
- રસ્તા રિપેરિંગ માટેની સરકારની સૂચનાને પણ ધોળીને પી જનારા અધિકારીઓ, પ્રજાજનો રામ ભરોસે
ઔદ્યોગિક એકમ ગણાતા કોવાયા ગામ ખાતે નોકરી-ધંધા આૃર્થે અનેક લોકો આવ-જા કરતાં હોય છે. તાજેતરમાં જ આ માર્ગ પર ખાડાના કારણે બારપટોળીના એક યુવાનનું મોત નીપજ્યું હતું. તેમ છતાં અમરેલી બાંધકામ ખાતાએ દરકાર લીધી નથી. આઠ કિ.મી.નો આ રોડ પસાર કરવા એક કલાકના સમયનો વ્યય થાય છે. આથી લોકો ૧૫ કિમી પીપાવાવ ફરીને જવું પડે છે.
જવાબદાર અિધકારીઓ પાસે રોડ બનાવવાની રજૂઆત થાય તો જવાબ મળે છે કે, હમણાં નવો બનાવવાનો છે ! આ વાત તો છેલ્લા એક વર્ષથી ચાલે છે પરંતુ પ્રજાજનોની સલામતી માટે જ્યાં સુધી રોડ નવો ન બને ત્યાં સુધી આ રોડમાં પડેલા બબ્બે ફૂટ ઊંડા ખાડામાં કાંકરી અને પથૃથર ભરી થીગડા મારવામાં આવે તેવી માંગણી ઉઠી છે.


