રાજ્યની કૃષિ યુનિવર્સિટીના કુલપતિને ચૂકવાતા અમાન્ય પગાર ધોરણ-ભથ્થાં
7મા પગાર પંચના ઠરાવનો ભંગ કરી વધુ પગારની આકારણી નિયમ મુજબ મહિને પગાર-ભથ્થા મળી કુલ રૂા. 2 લાખ 15,000 મળવા જોઇએ પરંતુ રૂા.3,30,500 ચૂકવાય છે : વધુ પગારની રિકવરી કરવાની માંગ
રાજકોટ, : રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના મનઘડત રીતે આકારવામાં આવ્યા હોવાથી રાજ્યના મુખ્યમંત્રીને આ મુદ્ે રજૂઆત કરી સાતમા પગાર પંચના ઠરાવનો ભંગ કરી ચૂકવવામાં આવતો પગાર અને ભથ્થા બંધ કરી રીકવરી કરવાની માંગ કરવામાં આવી છે.
રાજ્યની જુદી-જુદી અનેક યુનિવર્સિટીઓમાં રજીસ્ટ્રારની કાયમી નિમણૂંક કરવામાં નહીં આવી હોવાને લીધે વહીવટમાં વિસંતગતાઓ જોવા મળે છે. ઘણી યુનિવર્સિટીઓમાં હિસાબી અધિકારીની કાયમી પોસ્ટ લાંબા સમયથી ખાલી હોવાથી પગાર ધોરણની આકારણીનાં અર્થઘટન મનફાવે તેમ થતાં રહ્યા છે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓને ચુકવાતા પગારના મુદ્દે જે ફરિયાદ કરવામાં આવી છે તેમાં જણાવાયું છે કે તા.1-1-2016 બાદ રાજ્યની કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિઓને બેઝીક પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થા અને એલટીસી સહિત કુલ રૂા.2,15000 દર મહિને મળવા જોઇએ તેના બદલે અત્યારે કુલ પગાર 3,30,500 આકારવામાં આવે છે. આ મુદે તપાસ માગી લ્યે તે પ્રકારનો છે. ભૂતકાળમાં પણ કુલપતિઓ દ્વારા પુન: નિયુક્તિના કેસમાં રજાના રોકડમાં રૂપાંતરના કિસ્સામાં નાણાં વિભાગની જોગવાઇઓને નેવે મુકીને સરકારી નાણાં ગજવે ભરવામાં આવ્યા છે. આ બાબત અંગે પણ તપાસ થવી જરૂરી હોવાનું રજૂઆતનાં અંતે જણાવાયું છે.