Get The App

મણારમાં રાજયની સર્વપ્રથમ દરિયાઈ શેવાળ બીજ પ્રયોગશાળાનું ઉદઘાટન

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
મણારમાં રાજયની સર્વપ્રથમ દરિયાઈ શેવાળ બીજ પ્રયોગશાળાનું ઉદઘાટન 1 - image

તમિલનાડુ પરની નિર્ભરતાનો અંત આવશે

દરિયાકાંઠાના ૧૮૪ થી વધુ માછીમારો અને ખેડૂતો માટે આજીવિકાની નવી ક્રાંતિ

કુંઢેલીમણારમાં કાર્યરત પીડિલાઇટ ઇન્ડ. સંચાલિત કૃષિ બાગાયત વિકાસ કેન્દ્રમાં ગુજરાત રાજયની સર્વપ્રથમ દરિયાઈ શેવાળ બીજ પ્રયોગશાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.અત્યાર સુધી આ કેન્દ્ર દ્વારા દરિયાકાંઠાના ૧૮૪ થી વધુ ખેડૂતો અને માછીમારોને આ આધુનિક ખેતી અંગે વિશેષ તાલીમ આપી સજજ કરવામાં આવ્યા છે.

સી.એસ.આઈ.આર.,સી.એસ.એમ.સી.આર.આઈ.ના ડિરેક્ટર ડો.અરૃપ ઘોષ અને ચીફ સાયન્ટિસ્ટ ડો.વૈભવ મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં  ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન  મધુકરભાઈ પારેખના વરદ હસ્તે આ અત્યાધુનિક લેબોરેટરી અને ભારતની પ્રથમ જમીન આધારિત ટાંકી ખેતી પ્રણાલી  ખુલ્લી મૂકાઈ હતી.અત્યાર સુધી ગુજરાતમાં દરિયાઈ શેવાળની ખેતી કરવા માટે બીજ છેક તમિલનાડુથી પરિવહન કરીને મંગાવવા પડતા હતા, જેમાં લાંબા અંતરના કારણે ૭૦ થી ૮૦ ટકા જેટલા બીજ રસ્તામાં જ નાશ પામતા હતા ત્યારે આ નવી સીડ લેબ વૈજ્ઞાાનિક અને આથક પડકારનો કાયમી ઉકેલ લાવશે. આ પ્રયોગશાળા આધુનિક ટાંકીઓ કે જે અત્યાધુનિક નેટવર્ક દ્વારા મૂલ્યવાન શેવાળની પ્રજાતિના માત્ર ૦.૫ સેન્ટીમીટરના ટુકડામાંથી ૩ સેન્ટીમીટરના સ્વસ્થ અને મજબૂત છોડ વિકસાવીને સમુદ્રમાં વાવેતર માટે સીધા ઉપલબ્ધ કરાવશે.આ પ્રસંગે ઇન્ડ.ના પ્રેસિડેન્ટ ડો. પી. કે. શુક્લા અને સેન્ટ્રલ સોલ્ટના વરિ વૈજ્ઞાાનિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સેન્ટ્રલ સોલ્ટના ડિરેક્ટર દ્વારા  ચેરમેન  મધુકરભાઈ પારેખને એક વિશેષ પ્રશંસા પત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.