Get The App

સુરતમાં કેટલાક ભક્તોએે દશામાની પ્રતિમાનું નહેરમાં વિસર્જન કરી દીધું

કેનાલમાં પ્રતિમા મુકાતા અનેકની લાગણી દુભાઈઃ ઘરે વિસર્જન થાય તો લાગણી અકબંધ રહેવા સાથે માતાજીનું માન પણ જળવાયું હોત

પાલિકાએ કૃત્રિમ તળાવ નથી બનાવ્યા તાપીમાં પ્રતિબંધ તો

Updated: Jul 30th, 2020

GS TEAM

Google News
Google News

સુરત, 30 જુલાઈ, 2020. ગુરૃવાર

કોરોનાના કહેર વચ્ચે સુરતમાં દશામાની સ્થાપના અનેક ભક્તોએ કરી હતી પરંતુ વિસર્જન માટે નદીમાં પ્રતિબંધ હોવાથી ભક્તોએ અન્યોની લાગણી દુભાઈ તે રીતે શહેરમાંથી પસાર થતી કેનાલમાં કરી દીધું હતું.  હાલની  સ્થિતિ જોઈને અનેક લોકોએ ઘરમાં જ દશામાની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું પરંતુ નહેરમાં વિસર્જીત કરાયેલી પ્રતિમા પ્લાસટર ઓફ પેરીસની હોવાથી મૂર્તિ બહાર આવી ગઇ હતી. 

ગુજરાત સરકારે કોરોનાના કહેરના કારણે હાલમાં તમામ તહેવારની ઉજવણી સાદાયથી કરવા તથા જાહેર ઉત્સવ નહીં ઉજવવા માટેની ગાઈડ લાઈન જાહેર કરી છે. દરમિયાન સુરતમાં દશામાના તહેવારની ઉજવણી મોટાપાયે થાય છે વિસર્જન યાત્રા માટે ભારે ભીડ મોડીરાતથી થાય છે. પણ ચાલુ વર્ષે તાપી નદીમાં મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ મુકી તમામ ઓવારા બંધ કરી દેવાયા હતા. અનેક લોકોએ દશામાની સ્થાપના કરી હતી જેમાંથી મોટાભાગના લોકોએ ઘરમા જ માતાજીની પ્રતિમાનું વિસર્જન કરીને કોરાનાની ગાઈડ લાઈનનું પાલન કરી માતાજીની ભક્તિ કરી હતી.

પરંતુ કેટલાક ભક્તોએ સુરતમાંથી પસાર થતી કેનાલ (નહેર)માં માતાજીની પ્રતિમાનુ વિસર્જન મોડી રાત્રીએ કરી દીધં હતું. આ પ્રતિમા પ્લાસ્ટર ઓફ પેરીસની હોવાથી નહેરમાં કિનારે જોવા મળી હતી. દશામાની પ્રતિમાની આવી સ્થિતિ જોઈને ભક્તોની લાગણી દુભાઈ હતી. પાલનપુર સહિત ઘણા વિસ્તારોમાં નહેરમાં મૂર્તિ વિસર્જન કરી દેવાયું હતું. આ તહેવાર ધર્મની લાગણી સાથે જોડાયેલો હોવાથી પોલીસ  કે તંત્ર વધુ સખ્તાઈ કરે તો પણ વિવાદ થાય તેમ છે તેથી આવા પ્રકારના તહેવારમાં જાગૃત્તિ વધુ જરૃરી બની જાય છે. 

Tags :