Get The App

કિડની ફેઈલ્યોરમાં પણ બીપી અને ડાયાબિટીસ મુખ્ય કારણ

- વિશ્વમાં 85 કરોડ લોકો કિડનીના દર્દી

- વર્ષે 24 લાખ દર્દીઓ ક્રોનિક કિડની ડિસીઝથી મૃત્યુ પામે છે

Updated: Mar 10th, 2021

GS TEAM


Google News
Google News
કિડની ફેઈલ્યોરમાં પણ બીપી અને ડાયાબિટીસ મુખ્ય કારણ 1 - image


આજે વિશ્વ કિડની દિવસ :  અસાધ્ય રોગથી બચવાનો એક જ ઉપાય - વહેલું નિદાન અને સારવાર

રાજકોટ   : દુનિયાભરના ૧૦૦થી વધુ દેશોમાં દર વર્ષે તા.૧૧મી માર્ચે કિડની દિવસ મનાવાય છે. તેનો ઉદ્દેશ કિડનીને લગતા રોગો સામે જનજાગૃતિ કેળવવાનો છે. આ વર્ષે વર્લ્ડ કિડની ડેનું સ્લોગન છે કિડની રોગો સાથે સ્વસ્થ રહો. જો કે ખેદ જનક હકીકત એ છે કે દર વર્ષે ૨૪ લાખ દર્દીઓ ક્રોનિક કિડની ડિસીઝ (સીકેડી)ના કારણે મૃત્યું પામે છે, અને ડાયાબિટીસ તથા હાઈ બ્લડપ્રેશર એ કિડની ખરાબ થયા પાછળના મુખ્ય કારણરૂપ મનાય છે.

કિડનીનાં જુદા જુદા રોગો અને ક્રોનિક કિડની ડીસીઝનાં દર્દી૩ઓની સંખ્યામાં  ભયજનક વધારો થઈ રહ્યો છે. દર દસમાંથી એક વ્યક્તિને કિડનીનો પ્રસ્ન થવાનો ભય રહે છે. વિશ્વભરમાં કિડનીના રોગની તકલીફ હોય તેવા લોકોની સંખ્યા ૮૫ કરોડથી વધુ છે. ૨૪ લાખ લોકો દર વર્ષે સી.કે.ડી.ને કારણે મૃત્યુ પામે છે અને જીવલેણ રોગોના લીસ્ટમાં સી.કે.ડી. છઠા ક્રમે આવતો ગંભીર રોગ છે. તબીબો કહે છે કે, ડાયાબીટીસ અને લોહીનું ઉંચું દબાણ તે કિડની  બગડવાનાં સૌથી મહત્વનાં કારણો છે. ક્રોનિક કિડની ડીસીઝ ન મટી શકે તેવો ગંભીર રોગ છે. આ રોગનાં અંતીમ તબક્કાની સારવારનાં બે વિકલ્પો જીવનભર ડાયાલીસીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન છે. આ સારવાર ભારે ખર્ચાળ અને ઓછા સ્થળોએ ઉપલબ્ધ હોવાને બધા દર્દી૩ઓને ઉપલબ્ધ થતી નથી. યોગ્ય કાળજી દ્વારા કિડની રોગ થતાં અટકાવી શકાય છે. વહેલા નિદાન દ્વારા રોગ મટી શકે છે અથવા યોગ્ય સારવાર અને પરેજી દ્વારા લાંબા સમય સુધી તબિયત સારી રાખી શકાય છે. જો કે, ઘણાં દર્દી૩ઓને તો બંને કિડની ૯૦ ટકા જેટલી બગડી જાય ત્યાં સુધી રોગના કોઈ ચિન્હ જ જોવા મળતા નથી!

કિડની ફેલ્યર એટલે કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થવો. લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ વધારે હો તે કિડની ફેલ્યર સુચવે છે. ધીમે ધીમે લાંબે ગાળે ન સુધરી શકે તે રીતે બંન્ને કિડની બગડે તેને ક્રોનિક કિડની ડીસીઝ એટલે કે સી.કે.ડી. કહે છે. કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો ના થાય ત્યાં સુધી રોગના કોઈ ચિહ્નો જોવા મળતા નથી. 

કિડનીની તકલીફ કોઈ પણ વ્યક્તિને કોઈપણ ઉમરે થઈ શકે છે. પરંતુ કેટલાંક પરિબળોથી તે થવાનું જોખમ વધારે રહે છે. જે મકે, ડાયાબીટીસની બીમારી અથવા લોહીું દબાણ ઉંચુ હોવું. કુટુંબમાં અન્ય સભ્યોને કિડનીનો રોગ થયો હોય, લાંબા સમય માટે દુ:ખાવાની દવા લીધી હોય, મુત્રમાર્ગમાં જન્મજાત ખોડ હોય અથવા જાડાપણું હોવું, ધુ્રમ્રપાનની ટેવ હોવી. 

કિડની ડિસીઝથી બચવા માટેના સૂચનો અને તબીબી જાણકારી ફેલાવવા રાજકોટના ડો. સંજય પંડયાએ નામક વેબસાઈટ બનાવીને વિશ્વની ૩૭ ભાષામાં કિડની વિષયક માહિતી પૂરી પાડી છે, જેને વર્લ્ડ કિડની ડે ઓર્ગેનાઈઝેશને પોતાની વેબસાઈટ પર લિંક આપી છે.

કેવા - કેવા લક્ષણો હોય તો ચેતી જવું...

નબળાઈ લાગવી, થાક લાગવો. ખોરાકમાં અરૂચી, ઉલ્ટી - ઉબકા થવા. આંખ પર સવારે સોજા આવવા. મોં અને પગ પર સોજા આવવા. નાની ઉંમરે લોહીનું ઉચું દબાણ હોવું અને દવા છતાં યોગ્ય કાબુ ન હોવો. લોહીમાં ફિક્કાશ હોવી. પેશાબ ઓછો આવવો, પેશાબમાં ફીણ કરવામાં તકલીફ થવી, રાત્રે પેશાબ કરવા વધુ જવું પડયું.

કિડનીના રોગ અટકાવવા આટલું અવશ્ય કરવું...

૧. નિયમીત કસરત કરવી, શરીર તંદુરસ્ત રાખવું. ૨. પોષ્ટિક ખોરાક લેવો, યોગ્ય વજન જાળવવું. ખોરાકમાં નમક મીઠું, ખાંડ, ઘી તેલ અને ફાસ્ટફડનો ઉપયોગ ઓછો કરવો. શાકભાજી, ફળો અને રેસાવાળા ખોરાકનું પ્રમાણ વધારે રાખવું. મીઠું નમક રોજ ૫-૬ ગ્રામથી ઓછું લેવું જોઈએ. ૩. ડાયાબીટીસ હંમેશા ધ્યાન રાખવું. ડાયાબીટીસનાં દરેક દર્દીઓએ વર્ષમાં એક વખત તો અચૂક કિડની ચેકઅપ લોહીનું દબાણ, પેશાબમાં પ્રોટીન અન ેલોહીમાં ક્રીએટીનની તપાસ કરાવવું જોઈએ. ૪. બ્લડપ્રેશર ૧૩૦-૮૦ થી ઓછું રાખવું તે કિડનીની સુરક્ષા માટે અત્યંત મહત્વનું છે. હાઈબ્લડ પ્રેશર ક્રોનિક કિડની ફેલ્યરનું મહત્વનું કારણ છે. પાણી વધારે પીવું. તંદુરસ્ત વ્યક્તિએ રોજ ૨ લીટર ૧૦-૧૨ ગ્લાસ થી વધુ પાણી પીવું. પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની ટેવ શરીરમાંથી બીન જરૂરી કચરો અને ક્ષારને કારણે દૂર કરવા જરૂરી છે. પથરીની તકલીફ થઈ હોય તેવી વ્યક્તિએ રોજ ૩ લીટરથી વધારે પ્રવાહી લેવું જોઈએ. ૬. ધુ્રમપાન, તમાકુ, ગુટકા, માવા, દારૂનો ત્યાગ કરવો. ૭. ડોકટરની સલાહ વગર દવાઓ ખાસ કરીન ેદુખાવા માટેની દવાઓ ન લેવી ૮. ૪૦ વર્ષની ઉંમર બાદ દરેક વ્યક્તિઓએ દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. ૯. કિડનીનાં રોગનાં ચિહ્નો જોવા મળે ત્યારે વહેલાસર ડોકટર પાસે તપાસ કરાવવી, વહેલા નિદાન બાદ નિયમીત દવા લેવી અને પરેજી રાખવી. 

Tags :