Gujarat

ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો

By GS TEAM
12 Apr 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સહિત દેશભરમાં હવામાનના બેવડા મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ છે, તો બીજી તરફ ગુજરાતમાં સૂર્યદેવ આકરા પાણીએ થયા છે. હવામાન વિભાગ (IMD)એ આગામી 17 એપ્રિલ સુધી રાજ્યમાં આકરી ગરમીની ચેતવણી સાથે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમીનું ‘યલો ઍલર્ટ’, જાણો તમારા શહેરમાં કેટલો વધશે પારો

Gujarat Weather Update: ગુજરાત સહિત દેશભરમાં હવામાનના બેવડા મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ છે, તો બીજી તરફ ગુજરાતમાં સૂર્યદેવ આકરા પાણીએ થયા છે. હવામાન વિભાગ (IMD)એ આગામી 17 એપ્રિલ સુધી રાજ્યમાં આકરી ગરમીની ચેતવણી સાથે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે.

તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો થશે વધારો

હવામાન વિભાગ આગાહી અનુસાર,  આગામી બે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. અમદાવાદમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જવાની શક્યતા છે, જેને પગલે બપોરના સમયે કાળઝાળ ગરમીનો અનુભવ થશે. જ્યારે 17મી એપ્રિલ સુધી આકરી ગરમીની યલો ઍલર્ટ જાહેર કર્યું છે અને કમોસમી વરસાદની કોઈ જ શક્યતા નથી.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની અવનવી ઘટનાઓ, ક્યાંક સામૂહિક રાજીનામા તો ક્યાંક નેતાઓ રડ્યાં

દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘ભેજવાળી ગરમી’નો પ્રકોપ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે હવામાન વિભાગે ખાસ સાવચેતી રાખવા જણાવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે લોકોને અસહ્ય બફારા અને અકળામણનો સામનો કરવો પડશે. આકાશ ચોખ્ખું રહેવાને કારણે હીટ ઇન્ડેક્સમાં વધારો થશે, જેનાથી સામાન્ય તાપમાન કરતા પણ વધુ ગરમી અનુભવાશે.

દેશના અન્ય રાજ્યોમાં તોફાની પવન અને વરસાદની આગાહી

જ્યારે ગુજરાત ગરમીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે દેશના 12થી વધુ રાજ્યોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે પવન (50 થી 60 કિમી/કલાક) અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કેટલાક પ્રદેશોમાં કરા પડવાની અને વીજળી પડવાની સંભાવનાને જોતા ખેડૂતોને સતર્ક રહેવા અને સલામત સ્થળે આશ્રય લેવા સૂચના અપાઈ છે.