જામનગરના રણમલ તળાવમાં ગેરકાયદે માછીમારીના ગોરખ ધંધા : તંત્ર ઘોર નિંદ્રામાં, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો
Jamnagar : જામનગરની મધ્યમાં આવેલા રણમલ તળાવ કે જેના પાછળના ભાગમાં પાણીનો જથ્થો ઘટી ગયા બાદ કેટલાક તત્વો દ્વારા ગેરકાયદે તળાવમાં ઉતરીને માછીમારીની ઝાળ બીછાવીને ગેરકાયદે રીતે માછીમારી કરવામાં આવતી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મહાનગરપાલિકાનું તંત્ર ઊંઘતું ઝડપાયું છે.
જામનગરના પાછલા તળાવમાં અમુક તત્વો દ્વારા પ્રતિદિન માછીમારી જાળ બિછાવીને તળાવમાં તરી રહેલા માછલાઓને પકડવા માટેની ગેર પ્રવૃતિ ચલાવવામાં આવી રહી છે. તે અંગે મહાનગર પાલિકાના તંત્રને જાણ કરવામાં આવી છે.
કેટલા શખ્સો દ્વારા ગેરકાયદે માચ્છીમારી ઝાડ બિછાવીને પ્રતિદિન માછલા પકડીને લઈ જવામાં આવી રહ્યા છે. તે અંગેના કોઈ વ્યક્તિએ વિડીયો બનાવી લીધો હતો,જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેથી જામનગરના જીવદયા પ્રેમીઓમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે, અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા પણ માંગ ઉઠી છે.